રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ભાવનગર માં રૂ. 396.34 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં સાંસદ, ધારાસભ્યો, મેયર,પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર શહેરમાં રૂ.396.34 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના સ્વાગત બાદ પ્રથમ રૂ.1.47 કરોડ ના ખર્ચે નવીનીકરણ પામેલા યશવંતરાય નાટયગૃહનું લોકાર્પણ કર્યું હતું.જેથી કલાપ્રેમી નગરીના કલાકારોને તેનો લાભ મળશે.યશવંતરાય નાટ્યગૃહ ખાતે કલાકારો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી એ તેમની સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ ભાવનગર ખાતે રૂ.3.89 કરોડના ખર્ચે નવનિર્મિત રેન્જ આઈજી કચેરી નું લોકાર્પણ કર્યું હતું.જેમાં આઈજી,એસપી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. જ્યાં મુખ્યમંત્રી ને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગુલિસ્તા મેદાન ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન,ફાયર સહિતના 91 વાહનો ને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર, માર્ગ મકાન વિભાગ,સર્વ શિક્ષા અભિયાન,સિંચાઈ યોજના ના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech