ચેર એટલે કે મેન્ગ્રુવ ના વૃક્ષો વાવવા માટે રાજ્ય સરકાર ભલામણ કરી રહી છે ખાસ કરીને દરિયાઈ ખારાશને અટકાવવા માટે પોરબંદરની દરિયાઈ પટ્ટી ઉપર અનેક જગ્યાએ ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ પોરબંદરના કર્લી પુલથી બંદર સુધીના વિસ્તારમાં કુદરતી રીતે ઉગેલા ચેરના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. પ્લાસ્ટિકને કારણે આ વૃક્ષોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જળપ્લાવિત વિસ્તારોમાં પ્લાસ્ટિક નાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો જ આ પરિસ્થિતિને અટકાવી શકાશે. આ દ્રશ્યો પોરબંદરના માર્કેટિંગ યાર્ડ પાછળની ખાડીના છે કે જ્યાં ચેરના વૃક્ષોમાં ફરતે પ્લાસ્ટિક અને અન્ય કચરો વીંટળાઈ ગયો છે. જ્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે અથવા દરિયો ભર હોય ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને જ્યારે પાણીનો નિકાલ થાય છે ત્યારે વૃક્ષોની સ્થિતિ કેવી બની જાય છે તે આ દ્રશ્યો સિદ્ધ કરી રહ્યા છે ત્યારે તંત્રએ જળ પ્લાવિત વિસ્તારોમાં પ્લાસ્ટિક સહિત કચરો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરી બન્યો છે. (તસવીર:જિજ્ઞેેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech