ઠાકર ધગ્યા: પીજીવીસીએલને પાઠ ભણાવ્યો મધરાતે અધિકારીઓને બોલાવીને ખખડાવ્યા

  • May 30, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૨ હેઠળના રૈયા રોડ અને એરપોર્ટ રોડ વિસ્તારમાં છેલ્લ ા ૪–૫ દિવસથી દરરોજ રાત્રે બેથી ત્રણ કલાક સુધી વીજળી ગુલ થઇ જતી હોય, આબાલ વૃધ્ધ સૌ કોઇ ત્રાહીમામ પોકારી ઉઠતા હતાં. જયારે ગઇકાલે તો વીજ તત્રં તમામ હદ વળોટી ગયું હતું અને ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ખોરવી નાખતા સમગ્ર વિસ્તારમાં દેકારો બોલી ગયો હતો. બીજી બાજુ વીજ ફોલ્ટ માટેના ફરિયાદના નંબર પણ કોઇ રિસિવ કરતું ન હોય આ અંગે નાગરિકો તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર સુધી ફરિયાદો પહોંચી હતી. ફરિયાદો મળતા સ્ટેન્ડિંગ ચેરમેન રાત્રે બે વાગ્યે જામટાવર ચોકમાં આવેલા પ્રધુમનનગર પીજીવીસીએલ ડીવીઝનની કચેરીએ દોડી ગયા હતાં અને તમામ અધિકારીઓ તેમજ ઇજનેરોને રૂબરૂ બોલાવીને ઠપકો આપ્યો હતો.
મધરાત્રે અધિકારીઓ અને ઇજનેરોની મિટિંગ બોલાવી તેમનો ખુલાસો પુછયો હતો તેમાં ઇજનેરોએ એવો ખુલાસો કર્યેા હતો કે તેઓ રાત્રે ફિડર રીપેરિંગની કામગીરી કરતા હોય અવારનવાર વીજ પુરવઠો ખોરવાય છે. આવો જવાબ સાંભળીને સ્ટેન્ડિંગ ચેરમેન ઉકળી ઉઠયા હતાં અને ફીડરનું રિપેરિંગ દિવસે શા માટે કરતા નથી તેમ પુછતા અધિકારીઓ પાસે કોઇ જવાબ ન હતો અને તેઓ અવાચક બની ગયા હતાં. આ ઘટનાક્રમ બાદ સ્ટેન્ડિંગ ચેરમેનએ ઇજનેરો પાસેથી લેખીતમાં એવી ખાતરી લીધી હતી કે હવે પછીથી રાત્રીના સમયે ફીડર રિપેરિંગની કામગીરી કરવામાં નહીં આવે.
હાલ ભર ઉનાળે ગઈ મધરાત બાદ પીજીવીસીએલ પ્રધુમનનગર સબ ડિવિઝન હેઠળના એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થવાથી અસહ્ય ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયેલા વીજગ્રાહક પરિવારોની છેલ્લા બે ત્રણ દિવસની મુશ્કેલી સંદર્ભે આ વિસ્તાર વોર્ડ ન.ં બેના કોર્પેારેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે પ્રધુમનનગર સબ ડિવિઝન કચેરી ખાતે ધસી જઇ લોકોની કાયમી સમસ્યા બાબતે વીજ તંત્રને ઢંઢોળી નાખ્યું હતું, જેમાં સિટી સર્કલના અધિક્ષક ઇજનેર બી. સી. રાઠોડ, ડિવિઝન બેના કાર્યપાલક ઇજનેર સરવૈયા, નાયબ ઇજનેર જે. યુ. ભટ્ટ સહિતના અધિકારીઓએ જામ ટાવર કચેરી ખાતે હાજર થવું પડું હતું, અને તંત્રને દોડતું કરવું પડું હતું. જેમાં જયમીનભાઈ ઠાકરની મુદ્દાસર ઉગ્ર રજૂઆતોને ધ્યાને લઈને સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થવાનો પ્રશ્ન ખૂબ જ વહેલી તકે ઉકેલી નાખવાની લેખિત ખાત્રી આપવી પડી હતી.દરમિયાન રાજકોટ સિટી સર્કલ અધિક્ષક ઇજનેર બી. સી. રાઠોડે જણાવ્યું હતું કે ઉનાળાની ભારે ગરમીને કારણે લોડ વધી જવાથી ફીડર ફોલ્ટ સર્જાતા હોય છે, જોકે તેમાં ઇન્કમટેકસ ફીડરમાં સોમ મંગળ બુધ અને ગુવાર એમ ચાર દિવસ રાત્રી દરમિયાન જુદા જુદા કારણોસર સર્જાયા હતા, તેમાં સોમવારે રાત્રિના ખાલી ટ્રીપીંગ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News