ઉત્તર પ્રદેશના બહરાઈચમાંથી એક દયસ્પર્શી ઘટના સામે આવી છે, અહીં નાનપારાના તાલુકા અધિકારીની કારે એક બાઇક સવારને કચડી નાખ્યો હતો. એક બાઇક સવારને નાનપારા તાલુકા અધિકારીના વાહને ટક્કર મારી હતી અને તેને કથિત રીતે ૩૦ કિલોમીટર સુધી ખેંચવામાં આવ્યો હતો.
પીડિતની ઓળખ પયાગપુરના રહેવાસી ૩૫ વર્ષીય નરેન્દ્ર કુમાર હલદર તરીકે કરવામાં આવી છે, જે ગુરૂવારે સાંજે નાનપારા–બહરાઇચ રોડ પર અકસ્માત થયો ત્યારે ઘરે પરત ફરી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતનો મૃતદેહ વાહનમાં ફસાઈ ગયો હતો અને તેને નાનપારા સુધી ખેંચી લેવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે અકસ્માત સમયે વાહનમાં હાજર નાયબ તાલુકા અધિકારીશૈલેષ કુમાર અવસ્થીને જિલ્લા મેજિસ્ટ્રેટ મોનિકા રાની દ્રારા સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે. ડ્રાઈવર મેરાજ અહેમદની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની પુષ્ટ્રિ કરતા પોલીસ અધિક્ષક વૃંદા શુકલાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે મૃતક નરેન્દ્ર હલ્દર અને તાલુકા અધિકારીના ડ્રાઈવર મેરાજ અહેમદનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું હતું, ત્યારે એ વાતની પુષ્ટ્રિ થઈ હતી કે લાશને નાનપારા સુધી ૩૦ કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, એવું અસંભવિત છે કે ૩૦ કિલોમીટર સુધી કોઈ લાશ વાહનમાં ફસાઈ ગઈ હોય અને કોઈને તેની જાણ ન થઈ હોય. શકય છે કે રસ્તા પરથી વાહન રોકાયું ન હોય. અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતના ચોક્કસ સંજોગો નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. પોલીસ ઘટનાઓના ક્રમને રી–કન્સ્ટ્રકશન કરવા માટે ૩૦–કિમીના વિસ્તાર પર સીસીટીવી ફટેજની તપાસ કરી રહી છે તેમ એસપીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech