રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મલકત સરકાર ખાલસા કરવા સ્પેશિયલ કોર્ટમાં અરજી થઈ હતી. 28 કરોડની જંગમ મિલકતો મળતા તે જપ્ત કરવા માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ જમીન સરકાર ખાલસા કરવા માટે આજે ખાસ અદાલત સમક્ષ અરજી કરવામાં આવી છે.
આ અરજીની નોટિસ રાજકોટના સબ રજિસ્ટ્રાર તથા આરટીઓને પણ કરવામાં આવે જેથી સ્થાવર મિલકતની જપ્તીની કાર્યવાહી દરમિયાન જો સાગઠિયા આ મિલકત તબદીલ કરવાનો કોઈપણ પ્રકારનો દસ્તાવેજ રજૂ કરે તો આવા દસ્તાવેજો રજૂ થયાની જાણ આ અધિકારીઓ અદાલતને તાત્કાલિક કરી શકે.
આવક કરતા 60 ગણી અપ્રમાણસર મિલકત મળી
આ અરજી સબંધે સ્પે. પી.પી. મારફત દરખાસ્ત કરવામાં આવી છે કે જે સ્થાવર મિલકતોને જપ્ત કરી શકાય નથી તે મિલકતો આરોપી સાગઠિયા કોઈપણ પ્રકારે તબદીલ કરી નાખે તો કોઈ અજાણ્યા કે નિર્દોષ માણસને વિના કારણે મુશ્કેલી થાય અને અલગ અલગ પ્રકારની અરજીઓના નિકાલ કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. આ સંજોગોમાં પી.પી.એ અરજી કરી છે કે, હાલની આ અરજીની નોટિસ રાજકોટના સબ રજિસ્ટ્રાર તથા આરટીઓને પણ કરવામાં આવે જેથી સ્થાવર મિલકતની જપ્તીની કાર્યવાહી દરમિયાન જો આરોપી મનસુખ સાગઠિયા આ મિલકત તબદીલ કરવાનો કોઈપણ પ્રકારનો દસ્તાવેજ રજૂ કરે તો આવા દસ્તાવેજો રજૂ થયાની જાણ આ અધિકારીઓ અદાલતને તાત્કાલિક કરી શકે. આરોપી સાગઠિયા સામેની આ અરજીમાં સ્પે. પી.પી. તરીકે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલ છે.
જંગમ મિલકતો સાથે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી
TRP ગેમઝોનના અગ્નીકાંડ બાદ મહાનગરપાલિકાના ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાની સામે થયેલા ભ્રષ્ટાચારના કેસોની તપાસ દરમિયાન 28 કરોડની મિલકત તપાસનીશ અમલદાર એમ.એ.લાલીવાલે જપ્ત કરી જંગમ મિલકતો સાથે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. આ તપાસ સમયે તેઓ પાસે તેમના કુટુંબીજનોના નામથી અનેક મિલકતો મળી આવી હતી. આ મિલકતો સબંધે તેઓ કોઈ ચોખવટ કરી શકી ન હોવાથી અને આ મિલકતો તેમની આવક કરતા 60 ગણી અપ્રમાણસર હોવાનું સામે આવ્યું હતું. આ સબંધે તપાસનીશ અમલદારે સરકારને દરખાસ્ત કરી હતી. જે અનુસંધાને ગુજરાત સરકારે આ મિલકતો સબંધે મનાઈ હુકમ માંગી મિલકતો જપ્ત કરી સરકાર ખાલસા કરવા રાજકોટની ખાસ અદાલત સમક્ષ આજે અરજી રજૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech