આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દુર્વ્યવહારની ઘટનાના ત્રણ દિવસ બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું- મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પ્રાર્થના કરનારાઓનો હું આભાર માનું છું.
ટ્વિટર પર કહી આ વાત
मेरे साथ जो हुआ वो बहुत बुरा था। मेरे साथ हुई घटना पर मैंने पुलिस को अपना स्टेटमेंट दिया है। मुझे आशा है कि उचित कार्यवाही होगी। पिछले दिन मेरे लिए बहुत कठिन रहे हैं। जिन लोगों ने प्रार्थना की उनका धन्यवाद करती हूँ। जिन लोगों ने Character Assassination करने की कोशिश की, ये बोला…
— Swati Maliwal (@SwatiJaiHind) May 16, 2024
સ્વાતિએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
તમને જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલ સાથે મારપીટ અને દુર્વ્યવહારના મામલામાં પોલીસે આજે તેના ઘરે જઈને તેનું નિવેદન નોંધ્યું હતું. ઘટનાના ત્રણ દિવસ બાદ ગુરુવારે સ્વાતિએ પોલીસ અધિકારીઓને દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પરના તેના ઘરે બોલાવ્યા અને તેમનું નિવેદન નોંધાવી દિધુ છે. તેણે લગભગ સાડા ચાર કલાક સુધી પોલીસ અધિકારીઓને તેની આપવિતી વિશે વિગતવાર જણાવ્યું હતું. નિવેદનના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે. હવે ટૂંક સમયમાં પોલીસ આ મામલે FIR નોંધી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech