ખંભાળીયામાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

  • June 03, 2025 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિલ આધાર વીનાનો ઘઉં-ચોખા સહિતનો ૫.૨૬ લાખનો મુદામાલ મળી આવ્યો

ખંભાળીયા ડીવીઝનમાં બિલ આધાર પુરાવા વીનાનો ઘઉં-ચોખા અનાજનો જથ્થો ડીવાયએસપીની ટીમે પકડી પાડી શક પડતી મિલકત તરીકે ૫.૨૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને આ અંગે લગત વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા જીવન જ‚રીયાત ચિજ વસ્તુની સંગ્રહખોરી ન થાય અને સપ્લાય ચેઇન જળવાઇ રહે તેમજ સટોડીયાઓ દ્વારા કુત્રીમ ભાવ વધારો ન કરવામાં આવે એ માટે સુચના અને જ‚રી માર્ગર્દશન આપવામાં આવેલ આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુચના અન્વયે ખંભાળીયા નાયબ પોલીસ અધિક્ષક વી.પી. માનસેતા, વિભાગની કચેરીના સ્ટાફના એએસઆઇ શકિતરાજસિંહ, હેડ કો. સુખદેવસિંહને ખાનગી રાહે હકીકત મળી હતી જેમાં જામનગર-ખંભાળીયા હાઇવે દેવરીયા પાટીયે મુ‚ભા રવુભા જાડેજા રહે. સલાયાવાળો પોતાના કબ્જાના ટાટા ટ્રક નં. જીજે૨૩એટી-૧૮૬૬માં ૬૭૫ કિ.ગ્રા. ચોખા અને ઘઉં ૨૭૦ કીલોના મુદામાલ સાથે મળી આવ્યો હતો.

આ અનાજના જથ્થા અંગે કોઇ જાતના બીલ આધાર પુરાવા ન હોય તેમજ અનાજ બાબતે કોઇ સંતોષકારક જવાબ નહી આપી શકતા અનાજનો જથ્થો, ટ્રક સહિત ૫.૨૬.૯૭૫નો મુદામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application