અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે થયેલા આત્મઘાતી હત્પમલાએ તાલિબાન સરકારને હચમચાવી દીધી હતી. આ હત્પમલામાં શરણાર્થી મંત્રી ખલીલ ઉર–રહેમાન હક્કાની સહિત ત્રણ લોકોના મોત થયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હત્પમલાએ તાલિબાન સરકારને હચમચાવી દીધી છે . આ હત્પમલામાં તાલિબાન સરકારના શરણાર્થી મંત્રી ખલીલ ઉર–રહેમાન હક્કાની અને અન્ય બે લોકો માર્યા ગયા હતા. આ હત્પમલો મંત્રાલયની અંદર થયો હતો, જેને તાલિબાન માટે મોટો પડકાર માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે ખલીલ હક્કાની તાલિબાન સરકારના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા. સિરાજુદ્દીનને તાલિબાનનો સૌથી પ્રભાવશાળી નેતા અને સંગઠનની કરોડરુ માનવામાં આવે છે.
તાલિબાને ત્રણ વર્ષ પહેલા કાબુલમાં સત્તા પર કબજો જમાવ્યો હતો, પરંતુ આ પહેલીવાર છે યારે તેના કોઈ ટોચના નેતાઓને આ રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હત્પમલાની જવાબદારી લીધી નથી. તાલિબાનના પ્રવકતા ઝબીહત્પલ્લા મુજાહિદે આ ઘટના પર દુ:ખ વ્યકત કયુ અને કહ્યું કે ખલીલ હક્કાની એક મહાન યોદ્ધા હતા જેમણે ઈસ્લામની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કયુ હતું. નિષ્ણાતોના મતે, આ હત્પમલો તાલિબાન માટે મોટો ફટકો છે કારણ કે તે સરકાર સામે વધી રહેલા અસંતોષને દર્શાવે છે.
ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાન વચ્ચે દુશ્મનાવટ
તાલિબાનના મુખ્ય વિરોધી, ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન તેને નિશાન બનાવવાનું ચાલુ રાખે છે. આ સંગઠન તાજેતરના આત્મઘાતી હત્પમલામાં સામેલ હોવાની શંકા છે. સપ્ટેમ્બરમાં આ જ સંગઠને કાબુલમાં બોમ્બ વિસ્ફોટમાં ૬ લોકોના મોત અને ઘણાને ઘાયલ કર્યા હતા. આ સંગઠન હવે શિયા મુસ્લિમ લઘુમતીઓને પણ નિશાન બનાવી રહ્યું છે જેઓ અફઘાનિસ્તાનમાં પહેલેથી જ નબળી સ્થિતિમાં છે.
મહિલાઓના મુદ્દાઓ પર વધતા વિવાદો
વિશ્લેષકોનું માનવું છે કે ખલીલ હક્કાનીના મૃત્યુ પાછળનું કારણ મહિલાઓ અને છોકરીઓના અધિકારો અંગેના તેમના તાજેતરના વિવાદાસ્પદ નિવેદનો હોઈ શકે છે. ક્રાઈસિસ ગ્રૂપના સાઉથ એશિયા પ્રોગ્રામના વિશ્લેષક ઈબ્રાહિમ બાહીસના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ આ નિવેદનોની ટીકા કરી હતી. જો કે આ ઘટના તાલિબાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિને પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ સત્તા જાળવી રાખવાની લડાઈ ચોક્કસપણે તીવ્ર બની છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech