નાગરિક બેંક બચાવવા બનેલી સમિતિમાંથી શરદ વોરાએ અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. નાગરિક બેંક દ્વારા જેટલા લોન ખાતામાં કરોડો રૂપિયાનું લોન કૌભાંડ આચયર્નિા આક્ષેપ સાથે નાગરિક બેંક બચાવો સંઘ મેદાને પડ્યું હતું.
બેંક બચાવો સંઘમાં પ્રમુખ ચંદુભા પરમાર, વિબોધ દોશી, શરદ વોરા સહિત છ સભ્યો નાગરિક બેંક સામે લડત ચલાવી રહ્યા હતા. જેમાંથી શરદ વોરા ને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમણે આજે અચાનક પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી રાજીનામું આપી દીધું છે.
તાજેતરમાં સંઘ દ્વારા હાઇકોર્ટમાં પણ પિટિશન દાખલ કરીને કથિત લોન કોભાંડ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઊંડી તપાસ કરીને રિપોર્ટ હાઇકોર્ટ સમગ્ર રજૂ કરે તેવી દાદ માંગી છે.
આ દરમિયાન શરદ વોરાએ નાગરિક બેંક બચાવો સંઘના ઉપપ્રમુખ પદેથી પ્રમુખને રાજીનામું ધરી દેતા અટકળો ઊભી થઈ છે. શરદ વોરાએ આપેલા રાજીનામા માં જણાવ્યું હતું કે શારીરિક અશક્તિ ના લીધે હાલની જવાબદારીમાંથી મને તાત્કાલિક અસરથી મુક્ત કરો, થોડા સમય પહેલા મને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અને આઈ સી યૂમા મારી સારવાર ચાલી રહી હતી. મારા પરિવારના આગ્રહ ના લીધે અને મારી શારીરિક પરિસ્થિતિ ના લીધે હું નાગરિક બેંક બચાવો સંઘના ઉપપ્રમુખ પદ તેમજ તમામ જવાબદારીમાંથી મારી મરજીથી મુક્ત થવું છું સંઘના કોઈપણ હોદ્દા પર હવે હું ફરજ બજાવીશ નહીં તેમના આ પ્રકારના નિવેદનથી સંઘના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
નાગરિક બેંક બચાવો સંઘમાં મુખ્ય જવાબદારી નિભાવનાર શરદ વોરાના આકસ્મિક રાજીનામાના પગલે હવે આ લડત કેટલી લાંબી ચાલશે તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech