શાપર વેરાવળ પોલીસની કડક કાર્યવાહી: ૧૫ ગુનેગારોના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન

  • April 09, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજય પોલીસવડાના આદેશના પગલે રાજયભરમાં અસામાજિક તત્વો વિરૂધ્ધ પોલીસ આક્રમક કાર્યવાહી કરી રહી છે.ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના હેઠળ શાાપર વેરાવળ પોલીસે ગુનેગારો પર ધોંસ બોલાવી ૧૫ આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દઇ રૂપિયા ૫.૦૭ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.


રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અપાયેલી સૂચનાના પગલે શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણા તથા સ્ટાફ દ્વારા તપાસ કરી દારૂ-મારામારી સહિતના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ૧૫ અસમાજિક તત્વોના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં.


શાપર પોલીસે કરેલી આ કાર્યવાહીમાં લાલો ઉર્ફે પરબત હાથીયાભાઇ વીજાણી( દારૂના ૮ ગુના), અખરાજ હરસુખભાઇ વાલા( ૫ ગુના), રાણશી ચનાભાઈ માલાણી (૪ ગુના) લાખા કરમણભાઈ ઘોડા(૩ ગુના), ભારતીબા કિશોરસિંહ જાડેજા ( ૫ ગુના), રામીબેન હીરાભાઈ માલાણી( ૧૧ ગુના), તેનો પુત્ર હિમકરણ હીરાભાઈ માલાણી (૭ ગુના), રાજીબેન મેઘાભાઈ માલાણી (૪ ગુના), જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવીણભાઈ મંડલીક (૨ ગુના), સોહિલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયા(૨ ગુના), વિરેન્દ્ર ઉર્ફે નાનકો કિશોરસિંહ જાડેજા (દારૂ મારામારી જુગાર સહિતના ૭ ગુના), જીગર ઉર્ફે પ્રકાશ દિલીપભાઈ મારવાડી (દારૂ, મારામારીના ૧૭ ગુના), રવિરાજ કિશોરસિંહ જાડેજા (૨ ગુના) મોહદીશ મોહમ્મદહુસેન(૩ ગુના), આલીબેન દેવસુરભાઇ વાળા (૪ ગુના) નામના શખસોના સરકારી જગ્યામાં ખડકી દેવાયેલા હોટલ, પાકા મકાન, કાચી ઓરડીઓ સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીથી 5.07 કરોડની કિંમતની 1155 મીટર સરકારી જમીન પરથી દબાણ દૂર થયું હતું. શાપર વેરાવળ પોલીસની ગુનેગારો સામે કડક કાર્યવાહીથી અવારનવાર ગુના આચરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application