ભારતીય બાળકોમાં શાળામાં ભણાવવામાં આવતા ગણિત અને રોજિંદા જીવનમાં વપરાતા ગણિત વચ્ચે ખૂબ જ અંતર છે. શેરીના બાળકો સેક્ધડોમાં કહી શકે છે કે 800 ગ્રામ બટાકા અને 1.4 કિલો ડુંગળીની કિંમત શું હશે. આ કિંમત શોધવા માટે શાળાના બાળકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે. એક સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધન મુજબ, શાળાના બાળકો શૈક્ષણિક ગણિતમાં સારા હોય છે જ્યારે શેરી બાળકો જટિલ વ્યવહારો ઝડપથી ઉકેલવામાં સક્ષમ હોય છે. જોકે તેઓ શાળાના ગણિતમાં નબળા છે.
આ સંશોધન નોબેલ પારિતોષિક વિજેતા એસ્થર ડુફ્લો અને અભિજીત બેનર્જીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ જાણવાનો પ્રયાસ કર્યો કે શું રોજિંદા ગણિત કૌશલ્યો શાળામાં ઉપયોગી થઈ શકે છે અને શું શાળામાં શીખેલું ગણિત રોજિંદા જીવનમાં ઉપયોગી છે? સંશોધકોએ દિલ્હી અને કોલકાતાના બજારોમાં 1,436 શેરી બાળકો અને 471 શાળાના બાળકોનો અભ્યાસ કર્યો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શેરી બાળકો કોઈપણ સહાય વિના વેચાણ વ્યવહારો ઉકેલી શકે છે. શાળાના બાળકો ગણિતના પાઠ્યપુસ્તકોના પ્રશ્નો ઉકેલવામાં સારા હોય છે પરંતુ બજારના વ્યવહારોની ગણતરી કરવામાં અસમર્થ હોય છે. અભ્યાસમાં સમાવિષ્ટ બાળકો 13 થી 15 વર્ષના હતા. શાળાએ જતા બાળકોમાંથી એક ટકા કરતા પણ ઓછા વ્યવહારુ પ્રશ્નો ઉકેલી શક્યા હતા જે એક તૃતીયાંશ કામ કરતા બાળકો દ્વારા સરળતાથી ઉકેલી શકાતા હતા. કામકાજ કરતા બાળકો માનસિક શોર્ટકટનો ઉપયોગ કરે છે, જ્યારે શાળાએ જવાની ઉંમરના બાળકો લેખિત ગણતરીઓ પર આધાર રાખે છે. સંશોધકો માને છે કે ભારતની શિક્ષણ પ્રણાલી આ અંતરને દૂર કરવામાં નિષ્ફળ ગઈ છે. અભ્યાસમાં સામેલ કરાયેલા બજારમાં કામ કરતા બાળકોમાં ઘણા એવા હતા જેમણે શાળાઓમાં પ્રવેશ લીધો હતો પરંતુ વધુ અભ્યાસ કરી શક્યા ન હતા. આમાંથી ફક્ત 32 ટકા બાળકો ત્રણ-અંકની સંખ્યાને એક અંકથી ભાગી શક્યા. જ્યારે 54 ટકા બાળકો બે-અંકની સંખ્યાઓ બાદ કરી શક્યા. બધા બાળકો બીજા ધોરણમાં ભણતા હતા. આ વર્ગમાં સરવાળા અને બાદબાકી શીખવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech