આજે યારે યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ શેરબજાર ખુલ્યું ત્યારે બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા. બોમ્બે સ્ટોક એકસચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેકસમાં ૨૦૦ પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો, યારે નિટીએ પણ તેના પાછલા બંધની તુલનામાં ઉછાળા સાથે વેપાર શ કર્યેા. પરંતુ આ શઆતની તેજી થોડીવારમાં જ ઓસરી ગઈ અને સેન્સેકસ–નિટી ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. માત્ર એક કલાકના ટ્રેડિંગ પછી, શેરબજાર ક્રેશ થયું અને સેન્સેકસ ૮૦૦ પોઈન્ટથી વધુ ગગડો.
અઠવાડિયાના બીજા કારોબારી દિવસે, શેરબજારે તેજી સાથે કારોબાર શ કર્યેા. બીએસઈ સેન્સેકસ ૭૭,૨૬૧.૭૨ પર ટ્રેડિંગ શ કયુ, જે તેના અગાઉના ૭૭,૦૭૩ ના બધં સ્તરથી ઉપર આવ્યું હતું, પરંતુ આ વધારો થોડી મિનિટો માટે જ જોવા મળ્યો, પછી અચાનક સેન્સેકસ ઘટવા લાગ્યો અને ૪૦૧.૯૩ પોઈન્ટથી વધુ ઘટીને ૭૬,૬૭૧ ના સ્તરે પહોંચી ગયો. એટલું જ નહીં, આ ઘટાડો ફકત એક કલાકના વેપારમાં વધુ વધ્યો. સમાચાર લખતી વખતે, સવારે ૧૦.૩૦ વાગ્યે, સેન્સેકસ ૮૪૯ પોઈન્ટ ઘટીને ૭૬,૨૫૪ના સ્તરે પહોંચ્યો. સેન્સેકસની જેમ, એનએસએ નિટીની ચાલ પણ અચાનક બદલાઈ ગઈ. ૨૩,૪૨૧ પર ખુલ્યા પછી, તે ૨૧૦ પોઈન્ટ ઘટીને ૨૩,૧૨૭ ના સ્તરે પહોંચ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પછી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેના પાછલા ટ્રેડિંગ દિવસે, એટલે કે શપથ પહેલા, ભારતીય શેરબજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે સેન્સેકસ ૭૬,૯૭૮.૫૩ પર ખુલ્યો, જે તેના પાછલા બધં કરતા લગભગ ૩૦૦ પોઈન્ટ વધીને ૭૭,૩૧૮.૯૪ પર પહોંચ્યો અને અંતે ૪૫૪.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭,૦૭૩.૪૪ પર બધં થયો. સેન્સેકસની જેમ, નિટી ઇન્ડેકસ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શ કયુ અને ૨૩,૩૯૧ પર પહોંચી ગયો. અંતે, નિટી ૧૪૧.૫૫ પોઈન્ટના વધારા સાથે ૨૩,૩૪૪.૭૫ પર બધં થયો.
ગઈકાલે શેરબજારમાં અચાનક આવેલા ઘટાડા વચ્ચે સૌથી મોટા નુકસાનની વાત કરીએ તો, ઓનલાઈન ફડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેર સતત બીજા દિવસે ઘટા હતા. સમાચાર લખતી વખતે, આ શેર ૮.૪૦ ટકા ઘટીને . ૨૨૦.૭૫ પર આવી ગયો હતો. આ ઉપરાંત, લાર્જ કેપ કંપનીઓમાં સામેલ અદાણી પોટર્સ શેર (૧.૭૪ ટકા) અને રિલાયન્સ શેર (૧.૩૭ ટકા) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીના ત્રિમાસિક પરિણામોની રોકાણકારોની ભાવનાઓ પર નકારાત્મક અસર પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech