ઝનાના હોસ્પિટલમાં એક બાજુ પાણીની મોકાણ છે, કેટલીક વખતે પીવાનું અને શોચાલયમાં પણ પાણી ન આવતા પ્રસૂતા-સગભર્ઓિ અને તેમની સાથેના પરિવારજનોની સ્થિતિ કપરી સર્જાય છે. હોસ્પિટલ તંત્ર ગોઠવાયેલા વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયાનું વેચાતું પાણી લઇ ટાકા ભરવામાં આવે છે ત્યારે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે શનિવારે રાત્રે એક વાર નહિ બે-બે વાર પાણીની ટેન્ક છલકાતા લેબરરૂમ અને લોબીમાં પાણી વહ્યા હતા. ફરજપરના સ્ટાફ દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા હોસ્પિટલનો સ્ટાફ દોડ્યો હતો અને વાલ્વ બંધ કરવાની કાર્યવાહી કરી હતી. રાત્રીના 11 વાગ્યે હજુ સ્ટાફ આ પાણી ઉલેચી લ્યે ત્યાં મધરાત્રીના 2 વાગ્યાની આસપાસ ફરી ટેન્ક છલકાતા ફરીથી જવાબદારોને જાણ કરવામાં આવી હતી. અને તાકીદે આયાબહેનોને પાણી ઉલેચવાનું કહેવામાં આવતા સ્ટાફનો પણ મગજનો બાટલો ફાટ્યો હતો.જો કે ઝનાના હોસ્પિટલના ફરજ પરના જવાબદારો મોડે મોડે જાગ્યા હતા અને વ્યવસ્થા જોવડાવી લેવા માટેનું કહ્યું હતું ત્યાં સુધીમાં પાણી ઉલેચાય ગયું હતું. એ બાદ દાઝ્યા પછીનું ડાપણ સૌ કોઈએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાંથી ૫૦૦ કિલો ઘાસનો વધુ જથ્થો જપ્ત
April 05, 2025 12:45 PMબેટ-દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
April 05, 2025 12:41 PMકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech