નૈઋત્યનું ચોમાસુ મુંબઈ સુધી પહોંચી ગયા બાદ આગળ વધતું અટકી ગયું છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદના વાવડ નથી. મહેસાણા જિલ્લાના સતલાસણમા બે અને સુરત જિલ્લાના બારડોલીમાં એક મિલીમીટર વરસાદ પડ્યો છે. જમીન પણ ભીની ન થાય તેવા આ ઝાપટા સિવાય રાજ્યમાં ક્યાંય વરસાદી પાણીનો એક છાંટો પણ પડ્યો નથી.
આજે સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં પણ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની આંકડાકીય માહિતીમાં નીલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
વરસાદ ગાયબ થઈ જતાની સાથે જ ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થઈ ગયો છે. શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી હતું, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે. ભાવનગરમાં 40 ડિગ્રી અમરેલી અને ભુજમાં 39.3 અને અમદાવાદમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ચોમાસુ આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો છે અને આગામી બે ત્રણ દિવસમાં અમુક રાજ્યના અમુક વિસ્તારો કવર થઈ જશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા દરરોજ કરવામાં આવતી હોય છે. પરંતુ આજથી તે પણ બંધ કરી દેવામાં આવી છે અને ચોમાસાના એડવાન્સમેન્ટ બાબતે કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવાનું વેધર ડિપાર્ટમેન્ટ ટાળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોનસુન લાઇન અત્યારે મુંબઈ, અહલ્યાનગર, અદીલાબાદ, ભવાનીપટના, પૂરી અને બલુરઘાટમા જોવા મળે છે.
મેઘાલયમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયુ હોવાના કારણે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ થોડો ઘણો વરસાદ પડે છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં વરસાદનો વ્યાપ અને માત્ર ઘટી ગઈ છે અને ક્રમશઃ તેમાં ઘટાડો વધુ નોંધાઈ રહ્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 થી 80% વચ્ચે રહ્યું હતું. પવનની ગતિ દરિયામાં પ્રતિ કલાકના 45 થી 55 કિલોમીટર આસપાસ રહેવા પામી છે અને માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાઈ દેવાયો છે. આગામી તારીખ 2 જૂન સુધી દરિયામાં તોફાની પવન ફૂંકાવાનો હોવાથી માછીમારી માટે ગયેલી બોટને પણ પરત બોલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech