શ્રીનગર ગામે પવનચક્કીની સ્ટબલેગને ગેસ કટર વડે કાપી પિયા ૧ લાખ ૧૦ હજારનું નુકશાન પહોંચાડવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં રહેતા અને સુઝલોન વીન્ડફાર્મ પ્રાઇવેટ એનર્જી લિમીટેડ કંપનીમાં સીકયુરીટી આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રફુલ્લસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદન બગવદર પોલીસમથકમાં નોંધાવાઇ છે કે તેમની કંપનીની પવનચક્કીમાં ઉત્પાદન થતો પાવર જેટકો કંપનીને આપવામાં આવે છે અને ગઇકાલે સવારે તેમના કર્મચારી પાર્થ મહેતાએ ફોન કરીને એવુ જણાવ્યુ હતુ કે શ્રીનગર ગામ નજીક પવનચક્કીની સ્ટબલેગને કોઇએ ગેસકટરના સાધનો વડે કટ કરેલ છે આથી ફરિયાદી પણ ત્યાં ગયા હતા અને તપાસ કરતા અંદાજે ૧ લાખ ૧૦ હજાર પિયાનું નુકશાન થયાનું જણાતા કંપનીની હેડ ઓફિસમાં જાણ કરીને ગુન્હો નોંધાવ્યો છે જેમા જણાવ્યુ છે કે છેલ્લા બે મહિનામાં કંપનીની પવનચક્કીમાં ઉત્પાદન થયેલ પાવર કાંટેલા, શ્રીનગર, રીણાવાડા એમ ત્રણ ગામની વીજપોલ લાઇનમાંથી પસાર થાય છે ત્યાં પણ ચાર જેટલા પોલને અગાઉ ગ્રાઇન્ડર મશીન વડે નુકશાન પહોંચાડયાનું બહાર આવતા અંતે ફરિયાદી તથા તેના કર્મચારીઓ અને આજુબાજુના લોકોમાં જીવનું જોખમ ઉભુ થાય તે પ્રકારે સ્ટબલેગને કટ કરીને ગુન્હો કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech