મુંજકા ગામ પાસે આવેલા ટીટોડીયા આવાસ યોજના ક્વાર્ટર પાસેથી યુનિવર્સિટી પોલીસે ચોરાઉ રિક્ષા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં આ રિક્ષા મનહરપુર-૧ માં રહેતા યુવાનની હોવાનું જાણવા મળ્યું હતું. જે એક વર્ષ પૂર્વે ચોરી થઈ હતી. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક રીક્ષાના માલિકનો જમાઈ હોય તેને સસરા સાથે ઝઘડો થતા તેનો ખાર રાખી મિત્રની મદદથી આ રીક્ષાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.જી.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ જગમાલભાઇ ખટાણા, હેડ કોન્સ્ટેબલ વિજુભા જાડેજા, પ્રતાપસિંહ મોયાને મળેલી બાતમીના આધારે મુંજકા પાસે ટીટોડીયા આવાસ યોજના કવાર્ટર પાસેથી ચોરાઉ સીએનજી રીક્ષા સાથે રવિ વસંતભાઈ મકવાણા (રહે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ પાછળ, શાંતિનગર) સુમિત નીતિનભાઈ ઉર્ફે સાગરભાઇ ગોહેલ(રહે. ટીટોડીયા ક્વાર્ટર) અને અજય શશીકાંત કોલી (રહે. રૈયા રોડ બ્રહ્મ સમાજ, ચોક શિવપરા શેરી નંબર 2) ને ઝડપી લીધા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, તપાસ કરતા આ રીક્ષા મનહરપુર એક આઇનગર સોસાયટી પાણીના ટાંકા પાસે રહેતા હરેશ વેલજીભાઈ ચૌહાણની હોવાનું માલુમ પડ્યું છે. ગત તારીખ 11/2/2024 ના તેમના ઘર પાસેથી આ રીક્ષાની ચોરી થઈ હતી. ઝડપાયેલા આરોપીઓની પૂછતાછ કરતા એવી વિગત સામે આવી હતી કે, આરોપી અજય ફરિયાદી હરેશભાઈ ચૌહાણનો જમાઈ હોય તેને સસરા સાથે ઝઘડો થયા બાદ તેની દાઝ રાખી મિત્ર સુમિતની મદદથી આ રીક્ષાની ચોરી કરી હતી. ત્યારબાદ આ રીક્ષા તેમણે કોઈ સ્થળે છુપાવી રાખી હતી. થોડા દિવસ પૂર્વે જ રિક્ષામાં કલર કરી નંબર પ્લેટ કાઢી નાખી તેના અન્ય મિત્ર રવિને ભાડેથી ચલાવવા માટે આ રીક્ષા આપી હતી. આરોપી સુમિત સામે અગાઉ મારામારી,ચોરી સહિતના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.જયારે અજય સામે પણ એક ગુનો નોંધાઇ ચૂકયો છે.આ કામગીરીમાં યુનિ.પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા અને ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech