કરોડો ભકતોની આસ્થા અને ભારતની અસ્મિતા એવા દેશના પ્રથમ જયોતિલિગ સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રીએ બાર કલાકે અદભૂત ખગોળિય સંયોગ રચાય છે, જે વર્ષમાં ફકત એક જ વાર હોય છે. કાર્તિકી પૂર્ણિમાની રાતે ચદ્રં દેવ સોમનાથ મંદિર શિખર ઉપરનું ત્રિશુલ ધ્વજદડં અને સોમનાથ જર્યેાતિલિગ એક જ સમક્ષિતિજમાં આવે છે.
માનવામાં આવે છે કે જે સ્થાન ઉપર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મૂકિત આપી હતી તે જ સ્થાન ઉપર સોમનાથ મહાદેવનો ચંદ્રિકા અભિષેક કરવા માટે પ્રતિ વર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાતે ચંદ્રદેવ પોતે જ સ્વયં પધારે છે અને પોતાની પ્રભા એટલે કે શિતળ ચાંદનીથી સોમનાથ મંદિર પર અભિષેક કરે છે. આ સંયોગને ચંદ્રની અમૃતવર્ષા તરીકે ઓળખવામાં આવે છે. આ અદભુત નજારો ભાવિકો નિહાળી શકે એ માટે સોમનાથ મહાદેવ મંદિરમાં રાતે બાર કલાકે વિશેષ મહાપૂજા રાખવામાં આવે છે અને કાર્તિક પૂર્ણિમાએ રાતે એક વાગ્યા સુધી મંદિર ખુલ્લ ુ રાખવામાં આવે છે. નિહાળનારાઓ કહે છે કે એ દ્રશ્ય એવું હોય છે કે શિવજીના મસ્તક પર જાણે કે ચદ્રં ધારણ થયો હોય. અન્ય દિવસોમાં પણ સોમ એટલે કે ચદ્રં શિવમંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં શિવસ્તવન કરી રહ્યો હોય એવી શ્રદ્ધાની અનુભૂતિ ભકતો માને છે. એક મત મુજબ સોમનાથ મંદિર પર નેવું એંશના અક્ષાંસે ચદ્રં આવે છે. આમ વાસ્તુ શાક્રના નિયમ મુજબ આ ભૂમિ એવા સ્થળે આવેલી છે કે પૃથ્વી પર બીજે કયાંય શકય નથી! તેથી જ આપણા અનેક ઋષિમુનિઓએ ઊર્જાની સકારાત્મક ભૂમિ ગણી અહી પ્રભાસક્ષેત્રમાં તપ કરીને પાવન કરી છે. ચદ્રં સોમનાથ મહાદેવની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech