અનંત અંબાણી જામનગરના ખાવડીથી દ્વારકાની પદયાત્રાએ નિકળ્યા છે. છઠ્ઠા દિવસની પદયાત્રામાં તેઓએ 60 કિમીનું અંતર કાપ્યું છે. છઠ્ઠા દિવસની પદયાત્રા દરમિયાન રસ્તામાં મહિલાઓએ તેમનું કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું. જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપ્યો હતો. અનંત અંબાણીએ બાળાઓને વનતારાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું.
અનંત અંબાણીએ રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનરડી ગામના પાટીયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટીયા પાસે પૂરી કરી હતી
અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ... ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા જાય છે અને પદયાત્રા કરતા જાય ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. રસ્તામાં તેઓ તમામ બાળકો, વડીલો અને યુવાનોને પ્રસાદીરૂપે નાસ્તો, ઠંડુ પીણું અને ફ્રુટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે. ખાસ કરીને નાના બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડીરાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોવા મળે છે અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ...જય દ્વારકાધીશના નારા લગાવે છે.
રોજ 10-11 કિ.મી.ની પદયાત્રા
અનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે. જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજિત 10-11 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અનંત અંબાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઇ આરામ કરતા નથી, સતત ચાલ્યા જ કરે છે.
અનંત અંબાણીએ 6 દિવસમાં 60 કિ.મીનું અંતર કાપ્યું
અનંત અંબાણીએ 28 માર્ચ 2025ના રોજ રાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ પ્રથમ દિવસે વનતારાથી હોટલ શ્યામ વેર, ન્યારા ગેટ સુધી પહોંચ્યા હતા. બીજા દિવસે ખંભાળિયા નજીક મામા સાહેબના મંદિર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ત્રીજા દિવસે ખંભાળિયા પૂરું કરીને બહાર નીકળતા પોરબંદર તરફ જવાના રસ્તા સુધી પહોંચ્યા હતા. ચોથા દિવસે પગપાળા યાત્રા ખંભાળિયાથી આગળ આવેલા હંસ્થળ પાસે પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી. પાંચમા દિવસે સોનરડી ગામના પાટીયા પાસે યાત્રા પૂરી કરી હતી. જ્યારે આજે સોનરડી ગામના પાટીયા પાસેથી પદયાત્રા શરૂ કરીને ગુરગઢ ગામના પાટીયા પાસે પૂરી કરી છે. આમ છ દિવસમાં એમણે 60 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech