પોરબંદરમાં મહાનગરપાલિકાના તંત્રએ વેરો નહીં ભરનારા છ આસામીઓની મિલ્કત સીલ કરી દીધી છે તે ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ થતુ હોવાનું જણાવી ખાખચોકમાં એક બિલ્ડીંગ સીલ થયુ છે.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની (પી)ની સુચના અનુસાર હાઉસ ટેકસ વિભાગ દ્વારા હેડ પોસ્ટ ઓફિસ બાજુના વિસ્તારની અલગ-અલગ કુલ ૨૪ બિન રહેણાંક મિલ્કતોમાં વસુલાત ઝુંબેશની કામગીરી કરવામાં આવતા તે પૈકી ૧૮ આસામીઓ દ્વારા ા. ૧,૧૨,૬૫૯ સ્થળ ઉપર ભરપાઇ કરી આપેલ અને તે પૈકીની બાકી રહેતી છ મિલ્કતોના ા. ૨,૦૨,૭૮૬ ભરવામાં નહીં આવતા તે મિલ્કત સીલ કરવામાં આવેલ છે.
ગાર્ડન વિભાગ દ્વારા અખાડા રોડ વિસ્તારમાં વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તથા કમલાબાગ, વાડીપ્લોટગાર્ડન, પાળીબાગ, વોકીંગ પ્લાઝા વગરેે અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
પોરબંદર મહાનગરપાલિકા, ટી.પી. શાખા દ્વારા ખાખચોક વિસ્તારમાં મોહનલાલ પ્રેમજીભાઇ મોતીવરસ મિલ્કતમાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતુ તે બિલ્ડીંગ સીલ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech