વાવાઝોડાની આગાહીના પગલે અલંગ, ઘોઘા, મહુવા બંદરો પર ૧ નંબરનુ સિગ્નલ

  • May 26, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગરનું વહીવટી  તંત્ર એલર્ટ બન્યું છે. ખાસ કરીને જિલ્લાના ઘોઘા બંદર, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને મહુવા બંદર પર લગાવવામાં આવ્યું ૧ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે.
સાવચેતીના ભાગ રૂપે ૧ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. જીએમબી દ્વારા ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલો લગાવામાં આપી સૂચના આપવામાં આવી હતી. તેમજ તકેદારીના ભાગ રૂપે સાગરખેડૂઓને  દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં સર્જાયેલા વમળોના પગલે હવામાન ખાતાએ વાવાઝોડાની આગાહી આપી છે, જેના પગલે તંત્ર દ્વારા ભાવનગરના દરિયા કાંઠા પર સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application