અભિનેતા યુનિફોર્મ માટે ભૂખ્યો રહ્યો હોવાનો વિવેક ઓબેરોયનો ઘટસ્ફોટ
સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં તેના ઓટીટી શો ઈન્ડિયન પોલીસ ફોર્સને કારણે ચર્ચામાં છે. આ સિરીઝમાં તેની સાથે વિવેક ઓબેરોય પણ જોવા મળશે. આ દરમિયાન એક્ટરના કો-સ્ટાર વિવેક ઓબેરોયે સિદ્ધાર્થ મલ્હોત્રાના ખૂબ વખાણ કર્યા હતા અને તેના વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવુડના લવિંગ કપલમાંથી એક છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવાની એક પણ તક છોડતા નથી. ફેન્સ પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. હાલમાં એક્ટર તેની એપકમિંગ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સને લઈને ચર્ચામાં છે. આ સિરીઝમાં તેની સાથે વિવેક ઓબેરોય પણ જોવા મળશે. આ દરમિયાન વિવેકે સિદ્ધાર્થ વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે.
વિવેક ઓબેરોયે સિદ્ધાર્થ મલ્હોત્રાના ખૂબ વખાણ કર્યા હતા. આ દરમિયાન તેને જણાવ્યું કે કેવી રીતે સિદ્ધાર્થ તેના પાત્ર અને તેના શો માટે ડેડિકેટેડ રહે છે. આ દરમિયાન વિવેકે એક કિસ્સો પણ શેર કર્યો હતો. તેને કહ્યું કે- 'એક દિવસ સિદ્ધાર્થ સેટ પર ભૂખ્યો હતો. મને લાગ્યું કે કદાચ તે કરવા ચોથનો ઉપવાસ કરી રહ્યો હતો, પણ તેને આ ઉપવાસ યુનિફોર્મ માટે રાખ્યો હતો.
વિવેકના આ નિવેદન પર સિદ્ધાર્થે પણ પ્રતિક્રિયા આપી હતી. તેના જવાબમાં તેને કહ્યું- તે સમયે મારા લગ્ન થયા ન હતા. તેના પર વિવેકે પણ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો, 'કદાચ તમે તેને અગાઉથી રાખવા માગતા હોવ.'
વિવેકના આ નિવેદન પર સિદ્ધાર્થે પણ પ્રતિક્રિયા આપી હતી. તેના જવાબમાં તેને કહ્યું- તે સમયે મારા લગ્ન થયા ન હતા. તેના પર વિવેકે પણ મજાકિયા અંદાજમાં જ જવાબ આપ્યો હતો
આ ઈન્ટરવ્યુમાં શિલ્પા શેટ્ટીએ પણ એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે શૂટિંગ દરમિયાન તેને ખબર ન હતી કે સિદ્ધાર્થના લગ્ન છે. એક્ટ્રેસે જણાવ્યું કે- 'હું નિર્દેશક રોહિત શેટ્ટી પાસે ગઈ અને પૂછ્યું કે શું સિદ્ધાર્થના લગ્ન છે, તો રોહિતે જવાબ આપ્યો કે... તેને અમને કહ્યું નથી'. પરંતુ સિદ્ધાર્થે ખુલાસો કર્યો કે સેટ પર માત્ર રોહિત અને વિવેક જ હતા. માત્ર તેને જ તેના લગ્નની ખબર હતી.
ઈન્ડિયન પોલીસ ફોર્સની વાત કરીએ તો આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પોલીસના રોલમાં જોવા મળશે. આ સીરિઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 19 જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech