વિવિધ બાબતે માર્ગદર્શન અપાયું
ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંના બરછા હોલ ખાતે તાજેતરમાં ષષ્ઠીપુર્તિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પ્રારંભે સંત શ્રી લક્ષ્મણદાસ બાપુ તથા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય સેવા પ્રમુખ અજયજી પારીક તથા અહીંના અગ્રણી દેવાભાઈ બથવાર, મહેશ્વરી સમાજના ગોર મનુભાઈ માતંગ, વાલ્મીકી સમાજ પૂર્વ પ્રમુખ મનોજભાઈ વાઘેલા, વિ.હિ.પ.ના પ્રવિણસિંહ કંચવા, હિનાબેન અગ્રાવત, ચેતનભાઈ રાવલ, જામનગરના ધર્મેશભાઈ ગોંડલીયા, જેઠાભાઈ ભોચીયા, મહેશભાઈ બારોટ, ખુશ્બુબેન દતાણી વિગેરેના હસ્તે દિપ પ્રાગટય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આશીર્વચન સંત શ્રી લક્ષ્મણદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન તથા સાંપ્રત સમયમાં હિન્દુ ધર્મ તથા સમાજ, સંસ્કૃતિ સામેના પડકારો વિશે માર્ગદર્શન ચેતનભાઈ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું. દુર્ગાવાહિનીના જિલ્લા સંયોજીકા ખુશ્બુબેન દતાણી દ્વારા વર્તમાન સમયમાં હિન્દુ દિકરીઓ સામેના પડકારો તથા દર વર્ષે સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યોજાતા શૌર્ય પ્રશિક્ષણ વર્ગોની જરૂરીયાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિનાબેન અગ્રાવત દ્વારા મહિલા સશક્તિકરણ, સંગઠન, સત્સંગ તથા બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા શેરી, મહોલ્લામાં પાયાના હિન્દુ ધર્મ સંસ્કૃતિના શિક્ષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પુરા થયા છે, ત્યારથી આજ દિન સુધી સંગઠનાત્મક કાર્યો તથા ધાર્મિક, સેવાકીય પ્રવૃતિઓ, વિધાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી જ હિન્દુ ધર્મ, સંસ્કૃતિના જ્ઞાન માટે ભારત ભર માં શાળાઓમાં રામાયણ, મહાભારત, વેદ તથા સંસ્કૃત ભાષાના વ્યાપ વધારવા માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. તેનું માર્ગદર્શન તથા ભારતના ટુકડા કેમ થયા તે તેમજ ગાય આધારિત સજીવ ખેતી તથા સામાજિક સમરસતા, લવ જેહાદ, લેન્ડ જેહાદ, કુટુંબ પ્રબોધન વિગેરે વિશે માર્ગદર્શન કેન્દ્રીય મંત્રી, અખિલ ભારતીય સેવા પ્રમુખ અજયજી પારીક દ્વારા આપવામાં આવ્યું હતું.
આ ષષ્ઠીપુર્તિ સમારોહમાં ખંભાળિયા શહેર પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા), મિલનભાઈ વારીયા, સાહિલભાઈ રાયચુરા, કલાપીભાઈ પંડ્યા , મનિષભાઈ જેઠવા, મહેશભાઇ દલવાડી, અનિલભાઈ તન્ના, ઈન્દ્રજીતસિંહ પરમાર, મોહિતભાઈ મોટાણી વિગેરે સાથે બી.એ.પી.એસ. અને ઇસ્કોન સંસ્થાના હરિભક્તો, અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech