બુધવારે સાંજે બરછા હોલ ખાતે આયોજન
વર્ષ 1964માં મુંબઈના સાંદિપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પુ. ગુરુજીની પ્રેરણાથી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ જેહાદ વિરુદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, બાલ સંસ્કાર, જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે. દેશ વિદેશમાં 63 હજાર કરતા વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકરોના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનનું વર્ચસ્વ બની રહ્યું છે.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બુધવાર તારીખ 4 ના રોજ ષષ્ટીપુર્તી સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બુધવારે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન અત્રે પોલીસ સ્ટેશન પાસે આવેલા બરછા હોલ ખાતે મુખ્ય વક્તા મા. શ્રી અજયજી પારેખ (કેન્દ્રીય મંત્રી) તેમજ પ.પુ. સંત શ્રી લક્ષ્મણદાસ બાપુ વિગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલા આ આયોજનમાં સહભાગી થવા સર્વે હિન્દુ ભાઈઓ-બહેનોને વિશ્વ હિન્દુ પરિષદના શહેર અધ્યક્ષ વિનુભાઈ બરછા વિગેરે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech