ઓપરેશન સિંદૂરમાં ભારતથી હારનો સામનો કર્યા પછી, પોતાના મિત્ર દેશ તુર્કીના પ્રવાસે ગયેલા પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ વિચિત્ર હરકતો કરી રહ્યા છે. તુર્કીમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે પાકિસ્તાને 9 અને 10 મેની રાત્રે ભારતને જવાબ આપવાનું નક્કી કર્યું હતું. અમે ફજરની નમાઝ પછી જવાબ આપવાનું આયોજન કર્યું હતું, પરંતુ તે પહેલાં ભારતે બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કરી દીધો. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને પોતાના પ્યાદા તરીકે રજૂ કર્યા અને તેમને બધાની સામે ઉભા રાખીને તેમનો પરિચય કરાવવાનું કહ્યું.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ હાલમાં તુર્કી, અઝરબૈજાન અને તાજિકિસ્તાનના પ્રવાસે છે. અઝરબૈજાનના લાચીન શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહબાઝ શરીફે પોતાના ભાષણમાં ઘણી વાતો કબૂલી હતી. જ્યારે શાહબાઝ શરીફ પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેન તૈયપ એર્દોગન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવ હાજર હતા. શાહબાઝે કહ્યું કે 9 અને 10 મેની રાત્રે અમે ભારતને જવાબ આપવાનું નક્કી કર્યું હતું. અમે નક્કી કર્યું હતું કે પાકિસ્તાની સેના ફજરની નમાઝ પછી સવારે 4.30 વાગ્યે હુમલો કરશે. સેનાનું નેતૃત્વ અમારા ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીર કરી રહ્યા હતા.
શાહબાઝે સ્વીકાર્યું કે આ સમય આવ્યો ત્યાં સુધીમાં ભારતે બ્રહ્મોસ મિસાઇલથી અમારા પર હુમલો કરી દીધો હતો. શાહબાઝે કહ્યું કે અમારા ફિલ્ડ માર્શલ અહીં બેઠા છે, હું તેમને ઉભા થવા માટે કહીશ જેથી હું તેમનો પરિચય બધાને કરાવી શકું. શાહબાઝની વાત સાંભળીને, કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિમંડળ સાથે બેઠેલા મુનીર સ્કૂલના બાળકની જેમ ઉભા થઈ ગયા. આ પછી, તુર્કી અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિઓએ તાળીઓ પાડવાનું શરૂ કર્યું.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અહીં અટક્યા નહીં અને કહ્યું કે મુનીરે મને કહ્યું કે ભારતે ફરીથી હુમલો કર્યો છે. શાહબાઝે ફરી એકવાર ખોટું બોલ્યું કે અમે ભારતના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. જ્યારે પાકિસ્તાનમાં, ભારતે નાગરિક માળખાં પર હુમલો કર્યો. પાકિસ્તાનના પીએમએ તો ત્યા સુધી ખોટું બોલ્યું કે સવારે 9 વાગ્યે ફિલ્ડ માર્શલે કહ્યું કે યુદ્ધવિરામની ચર્ચા કરવા માટે ભારત તરફથી ફોન આવ્યો હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડિમોલીશન અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીનો વિરોધ કર્યો
May 31, 2025 12:12 PMઆજે ફરી જામનગરમાં મેગા ડિમોલીશન
May 31, 2025 12:03 PMમારી 25 વર્ષની તપસ્યાનું આ ફળ છે: મમતા કુલકર્ણી
May 31, 2025 11:57 AMરાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ જામનગર દ્વારા શતાબ્દી વર્ષને અનુલક્ષીને પત્રકાર મિલન યોજાયું
May 31, 2025 11:56 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech