ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ મોર્ગન સ્ટેનલીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય શેરબજારના તમામ ઉભરતા બજારો વર્ષ 2025માં સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. અહેવાલ મુજબ, વેપાર અને લવચીક ફુગાવાના લક્ષ્યોને કારણે મેક્રો સ્થિરતા ખૂબ જ મજબૂત રહે છે. આગામી 4-5 વર્ષોમાં, કંપ્નીઓની કમાણીમાં વાર્ષિક ધોરણે 18-20 ટકા વધારો થવાની સંભાવના છે, જેનું મુખ્ય કારણ ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડી ખર્ચમાં વધારો, કોર્પોરેટ્સના દેવામાં ઘટાડો અને વપરાશમાં તેજી છે. મોર્ગન સ્ટેનલીએ બેઝ કેસમાં ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સમાં 14 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ સ્થિતિમાં ઈન્ડેક્સ 93,000 સુધી પહોંચી શકે છે. તેજીના કિસ્સામાં સેન્સેક્સ 1,00,000ને પાર કરી શકે છે અને મંદીના કિસ્સામાં તે ઘટીને 70,000 સુધી પહોંચી શકે છે.
એચએમપીવી વાયરસના કેસની તપાસને કારણે સોમવારે શેરબજારમાં જે હાહાકાર હતો તે ગઈકાલે સમાપ્ત થયો. બે દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા છે. સેન્સેક્સ 234 પોઈન્ટના વધારા સાથે 78,199 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 92 પોઈન્ટના ઉછાળા સાથે 23,708 પર રહ્યો હતો. એનજીર્ શેરોમાં બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી જેવા શેરમાં વધારો થવાથી બજારને તેજી મળી છે. નાની અને મધ્યમ કંપ્નીઓના શેર વધુ ઉછળ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 0.77 ટકા વધ્યો, સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.74 ટકા વધ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech