બધા મુસાફરોની તપાસ કરવામાં આવતી નથી: ચચર્િ કયર્િ પછી જવા પણ દે છે: ભગવાન છે રેલ્વે સ્ટેશનના માલિક
જામનગર રેલ્વે સ્ટેશન પર મુસાફરો અને સ્ટેશનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, લાખો પિયાની મશીન પ્રવેશદ્વાર પર રાખવામાં આવી છે. પરંતુ આ મશીન ફક્ત બતાવવા માટે છે, હકીકતમાં સુરક્ષામાં એવા લુઝ પોઇન્ટ છે, જે જોઈને લાગે છે કે જામનગર રેલ્વે સ્ટેશનની સુરક્ષા ફક્ત નામની જ છે, ઘણા મુસાફરો પાર્સલ ગેટથી નીકળી જાય છે.
જામનગર રેલ્વે સ્ટેશન પર પ્રવેશ અને બહાર નીકળવાના મેન ગેટ સિવાય, ત્યાં બીજો દરવાજો છે, તે પાર્સલ ગેઇટ છે. આ ગેટ પાર્સલ વિભાગની નજીક છે. આ ગેટ રેલ્વે સ્ટેશન પર પાર્સલ આવતાં અને જતાં માટે બનાવાયેલ છે. જ્યારે પણ કોઈ ટ્રેન જામનગર રેલ્વે સ્ટેશન પર આવે છે, ત્યારે મુસાફરો ભીડનો સહારો લઈને આ પાર્સલ ગેટના રસ્તેથી આરામથી નીકળી જાય છે. જો આ સ્થાન પર કોઈ તપાસ ન થાય, તો પછી કોઈપણ વ્યક્તિ કોઈ ખતરનાક અથવા શંકાસ્પદ માલ લઈને સ્ટેશન પર આવી શકે છે અને સ્ટેશનથી જઈ પણ શકે છે.
જામનગર રેલ્વે સ્ટેશનના મુખ્ય દરવાજા પર લાખો પિયાથી ખરીદેલી ભારે અને આધુનિક મશીન રાખવામાં આવી છે. જે સામાન સ્કેનર મશીન છે. આ મશીનમાં યાત્રીઓ દ્વારા સામાન મુકવામાં આવે જે સ્કેન કરીને બતાવી દે છે કે તેમાં કોઈ આપત્તિજનક કે શંકાસ્પદ વસ્તુ તો નથી ને, પરંતુ મોટી વાત એ છે કે જો કોઈ યાત્રી આ મશીનમાં કોઈ સામાન જ ન રાખે, તો તે કેવી રીતે તપાસ કરી શકાય કે મુસાફરો પાસે કોઈ આપત્તિજનક અથવા શંકાસ્પદ વસ્તુ તો નથી ?
હા, જામનગર રેલ્વે સ્ટેશન પર આવું કંઈક થઈ રહ્યું છે. જો મુસાફરો ઉતાવળમાં હોય અથવા તેમની ટ્રેન છૂટી ગઈ હોય તો તે સુરક્ષા મશીન પર ઉભેલ પોલીસ કર્મચારીને કહી દે છે અને સામાનની તપાસ કયર્િ વિના તેમને જવા મળે છે. જેના કારણે આ મશીન સ્ટેશન પર હોવું કે ન હોવું, તેનો ફેર પડતો નથી. આ રીતે, સિક્યોરિટી પર ઉભેલ પોલીસકર્મીની આ બેદરકારી કોઈ મોટી ઘટનાને આમંત્રણ આપી રહી છે.
સિક્યોરિટી મશીન પાસે ઉભેલ પોલીસકર્મીને જો કોઈ આપત્તિજનક વસ્તુ પકડમાં આવે તો તેની સાથે ચચર્િ કરીને તેને જવા પણ દે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકવાર લગ્નની જાન સાથે, વરરાજા પાસે તીક્ષ્ણ હથિયારના રૂપમાં તલવાર હતી, જે આ મશીનમાં દેખાઈ અને પકડવામાં પણ આવી. પરંતુ ચચર્િ કયર્િ પછી, સિક્યોરિટીમાં ઉભેલ તે પોલીસ કર્મચારી એ વરરાજાને તલવાર સાથે જવા દીધો હતો.
જે રીતે જામનગર રેલ્વે સ્ટેશનની સિક્યોરિટી સિસ્ટમ છે અને જે રીતે અહીં સિક્યોરિટી સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, તે કરવું ખોટું નહીં હોય કે ભગવાન જ જામનગર રેલ્વે સ્ટેશનની સિક્યોરિટીના માલિક છે. આવી સ્થિતિમાં, જો કોઈ મોટી ઘટના બને, તો તે નક્કી કરવું મુશ્કેલ છે કે તેના માટે કોણ જવાબદાર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech