મહેસાણાના વિસનગરમાં રહેતા બિહારીભાઈ રતીલાલ દરજી (ઉ.વ.૫૩)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મહેસાણાની આર્મ મેનેજમેન્ટ સર્વિસમાં ટેકનિકલ આસિસટન્ટ તરીકે નોકરી કરે છે.તે એજન્સીને ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ-ગાંધીનગરએ કોન્ટ્રાકટ આપ્યો છે. ગઇ તા.૦૪/૦૩/૨૦૨૫ના રોજ તે તથા તેમની ટીમ રાજકોટ ખાતે ઇશ્વરીયા પાર્કમાં આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતે નવા સાધનો લગાડવાના હોય જેથી ત્યાં ગયેલ હતા. નવા સાધનો લગાડી જુના સાધનો ત્યાં જ રાખીને બે કલાકમાં ત્યાથી નિકળી ગયેલ હતા. આ ભુકંપ સંધોશન કેન્દ્ર ખાતે સિક્યોરીટી ગાર્ડ પણ રાખેલ છે. ત્યારબાદ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ તે તથા દિલીપસિંહ કુશવાહ સાંજના સાતેક વાગ્યે ડેટા લેવા માટે તથા નિરીક્ષણ કરવા માટે રાજકોટમાં આવેલ ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતે આવ્યા હતા. જ્યાં નિરીક્ષણ કરતા ધ્યાને આવેલ કે અગાઉ જે જુના સાધનો મુકી ગયેલ હતા તેમાંથી એસએમએ(સ્ટ્રોંગ મોશન એક્સલેરેશન) મશીન જેની કિંમત રૂ. 11,461 મળી આવ્યું ન હતું.જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.મકરાણી તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ, મસરીભાઈ ભેટારીયા, કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અને મુકેશભાઈને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં જામનગર રોડ પર મનહરપુર-૧ ગામમાં રહેતા રણજીત અરજણભાઈ જાખેલીયાને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી એકટિવા લઇ ભંગારની ફેરી કરતો હોય આ દરમિયાન તે રેકી પણ કરી લેતો હતો. અહીં ભૂકંપ સંશોધન કેન્દ્ર પાસેથી પસાર થતાં તક મળતા તેણે અહીંથી ભૂકંપ માપવાનું સિસ્મોગ્રાફ મશીન ચોરી કરી લીધું હતું. ચોરી કર્યા બાદ આ મશીન તોડી તેમાંથી કોપર કાઢી આ કોપર ભંગારમાં વેચી નાખ્યું હતું. આરોપી સામે અગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં વાહન ચોરી અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આ શખસે આ પ્રકારે અન્ય કોઈ સ્થળે ચોરીના બનાવને અંજામ આપ્યો છે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech