પોરબંદરના ચીકાસા ગામે રહેતા વ્યક્તિએ પથ્થરની લે-વેચનો સાત લાખનો ચેક રીટર્ન થતા પોતાના એડવોકેટ મારફતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કોર્ટે બમણી રકમ એટલે કે ૧૪ લાખ પિયા ચુકવવા જણાવ્યુ છે તે ઉપરાંત આરોપીને એક વર્ષની સાદી કેદની સજા પણ ફટકારવામાં આવી છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર તાલુકાના ચિકાસા ગામે રહેતા હરદાસભાઇ સવદાસભાઇ કુછડીયાએ પોરબંદર કોર્ટમાં એન.આઇ. એકટની કલમ -૧૩૮ મુજબ વિઠ્ઠલભાઇ રવજીભાઇ વડોદરીયા, રહે. કળજારીયા, તા. સાવરકુંડલા સામે ફરિયાદ આપી જણાવેલ કે આરોપી તથા ફરીયાદી પથ્થર લે-વેંચનો ધંધો કરતા હોય અને તે રીતે આરોપી પાસેથી થયેલ વ્યાપારિક લેણા પેટે બાકી નીકળતી રકમનો આરોપીએ ફરિયાદી હરદાસભાઇ સવદાસભાઇ કુછડીયાને પિયા સાત લાખનો ચેક પોતાની સહી કરી ફરીયાદીના નામજોગ લખી આપતા ફરિયાદીએ તેના વચન, વિશ્ર્વાસના આધારે ચેક સ્વીકારી પાકતી તારીખે ચેક વટાવવા નાખતા તે ચેક વણચુકવ્યો પરત ફરતા તે અંગેની નોટીસ વકીલ મારફતે આરોપીને કરતા આરોપીએ ઉડાઉ જવાબ આપેલ અને ચેક મુજબની કોઇ રકમ આપેલ ન હતી અને તે રીતે ફરિયાદ પોરબંદરના પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં ટ્રાયલ ચાલવા માટે આવતા ટ્રાયલ ચાલેલ.
જેમાં આરોપીને કોર્ટે સમન્સ કરી હાજર રહેવાનું જણાવતા આરોપી તેમના વકીલ સાથે હાજર થતા તેઓને કેસપેપર્સની નકલ પુરી પાડવામાં આવેલી અને તેઓએ ગુન્હો કર્યા અંગેનો ઇન્કાર કરી કેસની ટ્રાયલ ચલાવવાનું પસંદ કરેલ, જેથી ફરિયાદી હરદાસભાઇ સવદાસભાઇ કુછડીયાએ સોગંદ ઉપર જુબાની આપતા તેઓની ઉલટ તપાસ પણ આરોપીના વકીલ દ્વારા કરવામં આવેલ અને આમ, ફરિયાદી તરફે દસ્તાવેજી પુરાવાઓમાં અસલ ચેક, બેંક દ્વારા મળેલ રીટર્ન મેમો, આરોપીને આપેલ નોટીસની નકલ વગેરે રજૂ રાખેલ.
ત્યારબાદ આરોપી તરફે કોઇ પુરાવો રજુ થયેલ ન હતો, આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવેલ અને ત્યારબાદ બન્ને પક્ષના વકીલો દ્વારા સામસામી દલીલો કરવામાં આવેલી, જેમાં ફરિયાદપક્ષ તરફે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ વતી તેઓની ટીમના ચુનંદા વકીલો રોકાયેલા અને જેઓએ ધારદાર દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રીફર કરી આરોપીને એન.આઇ.એકટની કલમ -૧૩૮ મુજબ ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોય અને તે કામે સખ્ત સજા તથા બમણો દંડ કરવા કોર્ટને અરજ કરેલ.
આમ, બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોરબંદરના અધિક ચીફ જ્યુડી. મેજસ્ટ્રેટ અને પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ બી.જે. પટેલે સમગ્ર ચુકાદામાં વિગતવાર કાયદાની છણાવટ કરી કાયદાની દરેક બારીકીઓ જીણવટભરી રીતે ચુકાદામાં આવરી લઇ પુરાવાઓનું જીણવટભરી રીતે અવલોકન કરતા ચુકાદામાં જણાવેલ છે કે પુરાવો ખુદ બોલે છે તે હકિકત હાલના કેસમાં સાર્થક થતી હોય અને આમ, પોરબંદરમાં તાજેતરમાં બદલી થઇ ને આવેલ પોરબંદરના અધિક ચીફ. જ્યુડી. મેજીસ્ટ્રેટ અને પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ બી.જે. પટેલે વિસ્તારથી ચુકાદો આપી આરોપી વિઠ્ઠલભાઇ રવજીભાઇ વડોદરીયા, રહે. કળજારીયા, તા. સાવરકુંડલાવાળાને એન.આઇ. એકટની કલમ -૧૩૮ તથા ૧૪૨ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ તથા વધુમાં ફરીયાદીને આરોપીએ વળતર પેટે પિયા ચૌદ લાખ ચુકવવાનો હુકમ કરી આરોપીના જામીન તથા જામીન ખત રદ્ કરી જ્યુડી. કસ્ટડીમાં લેવાનો હુકમ અદાલતમાં જાહેર કરેલ હતો.
આ કામમાં ફરિયાદી તરફે જે.પી.ગોહેલની ઓફીસ વતી એડવોકેટ એમ.જી. શીંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનીયા, પી.બી. પરમાર તથા રીનાબેન ખુંટી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech