શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી ટ્યુશન ગયા બાદ લાપતા થઈ હતી. બાદમાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. દરમિયાન કિશોરીએ માતાને મેસેજ કરી તે પડધરીમાં રહેતા સાહિલ નામના શખસ સાથે હોવાનું જણાવ્યું હતું આ મામલે સગીરાના માતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પડધરીમાં રહેતો સાહિલ અગાઉ ફરિયાદીના ભાઈની હોટલમાં કામ કરતો હોય જેથી કયારેક તે ઘરે આવતો જતો હતો આ દરમિયાન તેણે સગીરા સાથે પરિચય કેળવી તેને ભગાડી ગયો હોવાની શંકા દર્શાવી છે.પ્ર.નગર પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી બંનેના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર વિસ્તારમાં રહેતા ત્યકતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પુત્ર અને પુત્રી છે. જે બંને રેલનગર વિસ્તારમાં જ આવેલા ટુશન કલાસમાં સવારના સમયે જાય છે. દરમિયાન શનિવારના તેમને સવારના ૯:૩૦ વાગ્યા આસપાસ ટુશન કલાસીસમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી દીકરી કેમ ટુશન આવી નથી? જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તે તો સવારે જ નીકળી ગઈ હતી. બાદમાં તેઓ તુરતં અહીં ટુશન કલાસે પહોંચ્યા હતા અને દીકરીની શોધખોળ શ કરી હતી. પરંતુ દીકરીના કયાંય સગડ મળ્યા ન હતા. બાદમાં તેમણે પોતાની ૧૫ વર્ષ અને ૨૦ દિવસની દીકરી લાપતા થયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.
બીજી તરફ ત્યકતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ તેમના ભાઈની હોટલમાં પડધરીમાં રહેતો સાહિલ શણગાર નામનો કામ કરતો હતો જેથી તે ઘરે આવતો જતો હતો. છેલ્લા સાતથી આઠ મહિનાથી તે સગીરાના પરિચયમાં આવ્યો હતો. બાદમાં તે સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની શંકા વ્યકત કરવામાં આવી છે. એટલું જ નહીં ત્યકતાએ એવું પણ કહ્યું હતું કે, દીકરી ઘરેથી લાપતા થયા બાદ તેમને દીકરીનો મેસેજ આવ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે હત્પં સાહિલ સાથે હોવાનું અને ખુશ હોવાનું જણાવ્યું હતું. આમ સાહિલ સંસાર નામનો આ શખસ સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હોય ચિંતાતુર બનેલા તેના માતાએ આ સઘળી બાબતો પોલીસને જણાવી હતી. પ્ર.નગર પોલીસે હાલ આ મામલે અપરહણનો ગુનો નોંધી બંનેના સગડ મેળવવા શોધખોળ શ કરી છે
ગુંદા ગામેથી ૧૫ વર્ષની સગીરા લાપતા
મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની અને હાલ રાજકોટની ભાગોળે ગુંદા ગામની સીમમાં વાડીએ ખેતમજૂરીનું કામ કરનાર આદીવાસી પરિવારની ૧૫ વર્ષની દીકરી ગત તા.૩૨ ના રોજ સવારના સમયે ઘરેથી લાપતા બની હોય આ અંગે સગીરાના પિતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech