ગોંડલી દેરડી જવાનાં માર્ગ પર મેતાખંભાળીયા નાં પુલ પર ી ગત રાત્રીનાં બાઇક પર પસાર ઈ રહેલા દેરડી રહેતા બે પિતરાઇ બંધુઓ નાં પુલ નીચે ખાબકતા માાનાં ભાગે પથ્ર વાગવાી ગંભીર ઇજાઓ ને કારણે ઘટનાસ્ળે મોત નિપજ્યાં હતા.બન્ને પિતરાઇ મોવિયા કૌટુબિંક પ્રસંગ માં ગયા હોય મોડીરાત સુધી ઘરે પરત નહી ફરતા પરિવારજનો એ શોધખોળ કરી હતી.આખરે મોબાઇલ લોકેશન નાં આધારે બન્નેની ભાળ મળી હતી.પરીવાર પુલ પાસે પહોંચ્યો પણ પુલ નીચે બન્ને ભાઇઓ નાં મૃતદેહ નજરે પડતા પરીવારજનો હતપ્રત બન્યા હતા.બાદ માં બન્નેનાં મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
દેરડી ની ખાતરા શેરીમાં રહેતા પિતરાઇ ભાઇઓ રતિલાલ જેરામભાઈ ખાતરા ઉ.૫૭ તા કિશોરભાઈ ગોરધનભાઈ ખાતરા ઉ.૫૬ મોવિયા ગામે પરીવાર માં શિમંત નો પ્રસંગ હોય મોવિયા ગયા હતા.રાત્રીનાં પ્રસંગ માં જમીને બન્ને ભાઇઓ બાઇક પર દેરડી પરત ફરી રહ્યા હતા.ત્યારે મેતાખંભાળીયા પુલ પર ી પસાર તી વેળા બાઇક સહિત પુલ નીચે ખાબકતા નીચે પટકાયેલાં બન્ને ભાઇઓ નાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યાં હતા. બન્ને ભાઇઓ મોડે સુધી પરત ના ફર્યા હોય કૌટુંબિક ભાઇ શૈલેષભાઈ ખાતરા સહીત નાં કુટુંબીઓ એ દેરડી ી લઈ મોવિયા સુધી શોધખોળ શરુ કરી હતી.રાત્રીનાં અંધકાર માં પુલ નીચે બન્ને ભાઇઓ મૃતપાય હાલત માં પડ્યા હોવાનું કોઈ ને સ્વપને પણ ખ્યાલ નાં હોય.આખરે મોબાઇલ લોકેશન નાં આધારે બન્નેની ભાળ મળી હતી.
મૃતક ભાઇઓ ખેતીકામ કરતા હતા.રતિલાલ ને સંતાન માં એક દીકરો અને એક દીકરી છે.જ્યારે કિશોરભાઈ ને બે દીકરા છે.
અકસ્માત રાત્રીના આઠી સાડાઆઠ વચ્ચે સર્જાયો હતો.પરંતુ પરીવાર ને છેક મોડીરાતે જાણ વા પામી હતી.
બનાવ જ્યાં બન્યો તે મેતાખંભાળીયાનો પુલ સાંકડો અને રેલીંગ વગરનો હોય અવારનવાર અકસ્માત સર્જાતા રહેછે. છ મહીના પહેલા પિતા પુત્રી પણ આ રીતે પુલ નીચે પટકાયા હતા.જેમાં પિતાનું મોત નિપજ્યું હતું.રાજાશાહી સમય માં ભગવતસિહ બાપુએ આ પુલ બંધાવ્યો હતો પણ કોઈ મરામત નાં વાંકે આજે પુલનાં કેટલાક બેલા નીકળી ગયા હોય અને રેલીંગ ના હોય પુલ જીવલેણ બનવા પામ્પો છે.તંત્ર આ ભયજનક પુલ અંગે ગંભીરતા નહી દાખવે તો વધુ જાનહાનીની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech