ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને શ્રેયાંસભાઈ શાહના ધર્મપત્ની શ્રીમતી સ્મૃતિબહેન શાહનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર સ્મૃતિબહેને ગુરુવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ યાત્રા શુક્રવારે સવારે ઇસ્કોન સર્કલ નજીકના તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી જેમાં પરિવારજનો, પત્રકારો, શહેરના ગણમાન્ય અગ્રણીઓ અને રાજકીય મોવડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સમાચારના વિકાસ અને પ્રગતિમાં અમુલ્ય ફાળો આપનાર સ્મૃતિબહેન શાહની વિદાયથી ગુજરાતી પત્ર્ત્કારત્વને ક્યારેય ન ભરાય એવી ખોટ પડી છે.
મક્કમ છતાં માયાળુ સ્સ્વભાવ ધરાવતા સ્મૃતિબહેનને કુશળતાથી અખબારના અનેક વિભાગોનું સફળ નેતૃત્વ કર્યું હતું અને પ્રતિભાવંત પત્રકારો તથા કર્મચારીઓની આખી પેઢી તૈયાર કરી હતી. ગુજરાત સમાચારની સૌરાષ્ટ્રની આવૃતિઓ, રાજકોટ અને ભાવનગર આવૃત્તિ પ્રત્યે સ્મૃતિબહેનને ખાસ લગાવ હતો અને તેમણે આ આવૃત્તિઓનું વર્ષો સુધી સંવર્ધન કર્યું હતું.
ગુજરાત સમાચારનાં લોકપ્રિય મહિલા સાપ્તાહિક 'શ્રી'ના તેઓ સતત ચાર દાયકા સુધી તંત્રી રહ્યાં અને ગુજરાતી લેખિકાઓનું નવું સર્જક મંડળ તેમણે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિનાં સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહનાં ધર્મપત્ની તરીકે તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી.
શ્રેયાંસભાઈનાં સાહસિક અને તટસ્થ પત્રકારત્વને કારણે સર્જાતા ભીષણ સંઘર્ષકાળમાં પણ શ્રીમતી સ્મૃતિબેને ખરા અર્થમાં તેમનાં અર્ધાંગિની બની રહીને તેમને અડીખમ સાથ આપ્યો. ગુજરાત સમાચારનાં મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસૂઝથી વિકસાવી. ગુજરાત સમાચારનાં હજારો વિતરક ભાઈઓ માંટે શ્રીમતી સ્મૃતિબેન શાહ એક સંકટ સમયની બારી હતાં. તેઓ સદાય સર્ક્યુલેશન વિભાગ અને વિતરકો વચ્ચે કડીરૂપ બની રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech