ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ વર્ષ ૨૦૨૪–૨૫ માં ૧૮૦૨ કરોડ પિયાની ખોટ કરી છે પરંતુ વર્ષ દરમિયાન સૌથી વધુ સફળ શ્રવણ તીર્થ યોજના અને મહાકુંભના કારણે ટૂર પેકેજ જાહેર કર્યા હતા જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો.
ગુજરાત રાય માર્ગ પરિવહન નિગમે વર્ષ ૨૦૨૪–૨૫માં સબસિડી વિના ૧૮૦૨ કરોડ પિયાની ખોટ કરી છે. આગામી સમયમાં નવા ટ અને સુવિધાઓ મુસાફરોને અપાશે. એસટી નિગમ વિવિધ પ્રકારની કુલ ૭૯૨૧ બસ રાયના ૯૯.૩૪ ટકા ગામડા અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ દોડી રહી છે. જેનો રોજના ૨૭ લાખ મુસાફરો લાભ લેતા હોય છે. જેમાં ૫૦ ઇલેકિટ્રક બસનો પણ સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫૨૬માં નવા વાહનોની ખરીદી માટે ૧૧૪૧ કરોડ પિયા મંજૂર કરાયા છે. નવા એસટી ડેપોના બાંધકામ માટે ૪૭૫ કરોડ, કમ્પ્યૂટરાઇઝેશન માટે ૧૮ કરોડ, જૂની લોનની ચૂકવણી માટે ૪૮૫ કરોડ, પેસેન્જર ટેકસ ચૂકવવા માટે લોન આવ્યા છે.
જૂની લોનની ચૂકવણીમાં નિગમ દ્રારા માગવામાં આવેલી રકમ કરતા ૧૪૭ કરોડ પિયા ઓછા મંજૂર કરવામાં આવ્યા છે. એસટી નિગમને વાર્ષિક મુખ્ય ખર્ચ ખરીદીની ચીજ વસ્તુમાં ૨૪૫૦ કરોડ પિયા જેટલો થાય છે. જેમાં ડીઝલ પાછળ ૨૨૦૦ કરોડ, લુબ્રિકન્ટમાં ૫૫ કરોડ, ટાયર માટે ૯૨ કરોડ વગેરેનો સમાવેશ થાય છે.
એસટી નિગમ દ્રારા નવી પ્રવાસી અને ધાર્મિક સર્કિટ શ કરાઇ છે. ૨૦૦ પ્રીમિયમ બસ, તમામ બસ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરા લગાવવા સાથે ૪ નવા બસ પોર્ટ પણ બનાવવામાં આવશે. એસટી બસ નિગમ દ્રારા શ્રવણ તીર્થ યોજના અને ચાલુ વર્ષે યોજાયેલા મહાકુંભ મેળા માટે પણ ખાસ ટૂર પેકેજ જાહેર કરાયું હતું, જેનો મુસાફરોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech