ઇન્દોરના દેવી અહલ્યા વિશ્વવિધાલયના કુલપતિ ડો. રાકેશ સિંઘાઈએ તાજેતરમાં જણાવ્યું હતું કે 'એક રાષ્ટ્ર્ર, એક નામ–ભારત' ની વિભાવના હેઠળ એકિઝકયુટિવ કાઉન્સિલના સભ્ય દ્રારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે હવેથી ઇન્ડિયાની જગ્યાએ 'ભારત' શબ્દનો ઉપયોગ કરવો અને તે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.કુલપતિ ડો. રાકેશ સિંઘાઈએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં તેમના વિઝિટિંગ કાર્ડ પર દેશના નામ તરીકે 'ભારત' શબ્દનો ઉપયોગ કરી જ રહ્યા છે.અને હવેથી દેવી અહલ્યા વિશ્વવિધાલયના તમામ સત્તાવાર દસ્તાવેજો, ડિગ્રીઓ અને માર્કશીટમાં ભારતની જગ્યાએ ફકત ભારત શબ્દનો ઉપયોગ કરશે.
તેમણે કહ્યું કે તેમની યુનિવર્સિટી કદાચ દેશની પ્રથમ યુનિવર્સિટી છે જેણે આ પ્રકારનો ઠરાવ પસાર કર્યેા છે.૧૯૬૪માં રાય સરકાર દ્રારા સ્થાપિત યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું હતું કે, આપણા દેશને પ્રાચીન સમયથી ભારત કહેવામાં આવે છે. ઇન્ડિયા નામ અંગ્રેજોએ તેમની સુવિધા મુજબ દેશને આપ્યું હતું. આપણે આપણા દેશનું મૂળ નામ, ભારત, દરેક જગ્યાએ વાપરવું જોઈએ.
કુલપતિએ કહ્યું કે તેઓ લાંબા સમયથી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં તેમના વિઝિટિંગ કાર્ડ પર દેશના નામ તરીકે ભારત નો ઉપયોગ કરી રહ્યા છે. અને હવે તેને ખાસ ઠરાવ પસાર કરાવીને માન્યતા પણ મળી ગઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech