આજે આસો સુદ દશમને શનિવારે વિજયા દશમી એટલે કે દશેરા છે.જે નિમિત્તે પોલીસ તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ હતુ.સાંજે શહેરમાં જવાહર મેદાન અને માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહન થશે. જલેબી, ચોળાફળી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. ઉપરાંત સોના ચાંદીના દાગીના, વાહનો પર્વ,ઇલેકટ્રોનિકસ ઉપકરણ તેમજ જમીન મકાનની ખરીદી પણ થઈ હતી.
આજે સાંજે છ કલાકે શહેરના જવાહર મેદાન ખાતે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત રાવણ દહન સતત ૧૧મા વર્ષે કરવામાં આવશે.
દશેરાના દિવસે ભાવેણાવાસીઓ ચોળાફળી, જલેબી અને મીઠાઈઓ આરોગે છે. આ વર્ષે જલેબી,ચોળાફળી અને મીઠાઈના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો હોવા છતાં તેની ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. અનેક કંપનીઓ તેમજ પેઢીઓ દ્વારા તેમના કર્મચારીઓને દશેરા નિમિત્તે મીઠાઈના પેકેટ ભેટ આપ્યા હતા.
દશેરાના શુભ દિને અનેક લોકોએ સોના -ચાંદીના દાગીના, વાહનો ,ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ તેમજ જમીન મકાનની ખરીદી કરી હતી. અનેક લોકોએ આજે તેમના મકાનનું વાસ્તુ રાખ્યું હતુ, તો કેટલાક લોકોએ નવા મકાનમાં ગૃહ પ્રવેશ પણ કર્યો હતો.આમ, ભાવેણા વાસીઓએ આજે વિજયાદશમી પર્વની ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લાના ૩ ચીફ ઓફીસરની નિમણુંક કરાશે
April 19, 2025 12:07 PMભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ
April 19, 2025 12:05 PMજામનગરમા કોર્પોરેટરનો અનોખો વિરોધ
April 19, 2025 12:04 PMદરેડમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કચરામાં આગથી દોડધામ
April 19, 2025 12:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech