ચૂંટણી આચાર સંહિતા જાહેર થયાં બાદ પણ પ્રમુખના પતિ ચૅમ્બર ખોલાવીને કામ કરતાં હોવાની ડીડીઓને ફરિયાદ
જામનગર જિલ્લા પંચાયત અવાર નવાર વિવાદના વમળમાં ફસાઈ જાય છે. હાલમાં તો પંચાયતના પ્રમુખના પતિ પણ વિવાદમાં સપડાયા છે. તા.ર૬મી જાન્યુ.ના રોજ પ્રમુખના બદલે તેમના પતિએ ભાષણ કર્યા બાદ વિવાદ થયો હતો. ચૂંટણીની આચાર સંહિતા જાહેર થઈ છે ત્યારે હજુ પણ પ્રમુખના પતિદેવ સહિતના કેટલાંક લોકો પોતાની ચૅમ્બર ખોલાવીને રાજકીય ગતીવિધિઓ અને ચર્ચા-વિચારણા કરતાં હોવાની વાતો બહાર આવવા પામી છે.
લોકસભાની ચૂંટણી જાહેર થઈ કે તરત જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન અને પંચાયતના પદાધિકારીઓના વાહનો પણ રિક્વિઝેટ કરી લેવામાં આવ્યા છે, રાજકીય પ્રતિક-ફોટા હટાવાયા છે. કેટલાંક સભ્યોનો આરોપ હતો કે, આચાર સંહિતા બાદ પણ જિલ્લા પંચાયતના પ્રમુખની ઑફિસ રાત્રિના ૮ વાગ્યા સુધી ખૂલ્લી હતી અને કેટલાંક રાજકીય ચર્ચા કરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
ડીડીઓ દ્વારા પંચાયત પ્રમુખ અને અન્ય કારોબારીઓના ચેરમેનને આચાર સંહિતાનો કડક અમલ કરવા તેમજ મીટીંગો માટે પદાધિકારીઓને ચેમ્બરનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે અને આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરાયો છે છતાં પણ કેટલીક ચેમ્બરોનો દૂરુપયોગ થતો હોવાની રાવ ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને કરી છે. જો કે, પ્રમુખ સહિતના અન્ય પદાધિકારીઓની ગાડી રિક્વિઝેટ કરી લેવાઈ છે. કોર્પો.માં પણ મેયર, ડે.મેયર, ચેરમેન અને પક્ષના નેતાની ગાડીઓ પણ લઈ લેવાઈ છે.
જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે ફરીથી જણાવાયું હતું કે, આચાર સંહિતાનો અમલ કરાવવા માટે ટીમોની રચના કરી છે. પ૦ હજારથી વધુની રકમ કોઈ પાસેથી નીકળશે તો તેઓએ તેના પુરાવા આપવાના રહેશે. ઉપરાંત હજુ તો કાર્યાલયો તમામ ખૂલ્યા નથી, ત્યારે ઉમેદવાર દ્વારા કરાતા ખર્ચા અંગે પણ ચૂંટણી પંચની બાજ નજર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત હથિયાર ધારકોએ પણ એમના હથિયાર પાંચ દિવસમાં જમા કરાવી દેવા જાહેરનામું બહાર પાડી દેવાયું છે.
આમ જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે વહિવટી તંત્ર દ્વારા મક્કમ પગલાં લેવાવાનું શરુ કરી દેવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુનીરને ફિલ્ડ માર્શલની જગ્યાએ 'રાજા' જ બનાવી દેવા જોઈતા હતા: ઇમરાન
May 23, 2025 10:40 AMજો તમે અમારું પાણી બંધ કરશો, તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું : અહેમદ શરીફ
May 23, 2025 10:37 AMફાઈનલ અગાઉ પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે વિવાદ: પ્રિટી ઝિન્ટાએ કોર્ટ પહોંચી
May 23, 2025 10:21 AMબાંગ્લાદેશે ભારત સાથેની 180 કરોડની રૂપિયાની ડિફેન્સ ડીલ અચાનક રદ કરી
May 23, 2025 10:08 AMઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાંથી સ્લીપર સેલે પણ ડ્રોન ઉડાવ્યાનો ઘટસ્ફોટ
May 23, 2025 10:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech