રાજકોટ સ્થિત પતિના ત્રાસથી રાણાવાવની પરીણીતાએ કર્યો આપઘાત

  • June 07, 2025 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રાણાવાવ ગામે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટ થયા હતા અને તે રીસામણે આવી ત્યારે તેના પતિએ બીજા નિકાહ કર્યાનો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂકતા આપઘાત કરી લીધો હતો. તેથી પુત્રીને મરવા માટે મજબૂર કર્યાની સાસુએ જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે. 


રાણાવાવના કસ્બાતી જમાતખાનાપાછળ રહેતા રજાકભાઇ ઇબ્રાહીમ મુલ્લાના પત્ની દ્વારા રાણાવાવ પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છેતે કે તેની પુત્રીના લગ્ન રાજકોટના ભાવનગર રોડ પર રહેતા સમીર સીરાજ જુણેજા સાથે થયા હતા અને વર્ષ ૨૦૨૩ થી વર્ષ ૨૦૨૫ દરમીયાન અતિ દા‚ પીને અવારનવાર ઘરકામ કરવા બાબતે અને શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપતો હતો તેથી ફરિયાદી મહિલાની પુત્રી પીયરીયે રીસામણે આવી હતી તે દરમ્યાન આરોપી સમીર જુણેજાએ બીજા નિકાહ કરી લીધાનો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂકતા  માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો તેથી સમીરના માનસિક ત્રાસને લીધે તે મરવા માટે મજબુર બની હતી અને ઝેરીદવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હોવાથી અંતે સાસુએ તેના જમાઇ સમીર સિરાજ જુણેજા સામે પુત્રીને મરવા માટે મજબૂર કર્યાનો ગુન્હો નોંધાવ્યો છે. રાણાવાવ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application