કાળીયા ઠાકોરને રામલલ્લાનો કરાશે શ્રૃંગાર: દર્શનના સમયમાં ફેરફાર
આગામી ૬ એપ્રિલ રવિવારે ચૈત્ર સુદ નોમના દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં રામનવમીની વિશેષ ઉજવણી થશે. આ દિવસે ભગવાન શ્રીરામના જન્મદિવસની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે.
મંદિરમાં સવારે ૬:૩૦ કલાકે મંગલા આરતી યોજાશે. ત્યારબાદ સવારે ૮થી ૯ વાગ્યા સુધી બંધ પડદે અભિષેક સ્નાન થશે. શૃંગાર દર્શન સવારે ૯થી ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે.
સવારે ૧૦:૩૦થી બપોરે ૧૨ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ દરમિયાન ધાર્મિક ષોડષોચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન કરાશે. કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રીરામની જેમ ધનુષ્યબાણ ધારણ કરાવાશે. સિલ્ક પીતાંબર અને કિરીટ મુગુટ સાથે શ્રીરામ સ્વરૂપનો શૃંગાર મનોરથ યોજાશે.
બપોરે ૧૨ વાગ્યે ઠાકોરજીને ધનુષ-ભાથું ધારણ કરાવી વિશેષ કિરીટ મુકુટ સાથે શ્રીરામ સ્વરૂપના શૃંગાર સાથે ઉત્સવ આરતી થશે. ત્યારબાદ બપોરે ૧:૩૦ સુધી ભાવિકોને ઉત્સવ દર્શનનો લાભ મળશે. બપોરે ૧:૩૦ વાગ્યે મંદિર બંધ થશે. સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશે તેવું જગતમંદિરના વહીવટદારે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech