ગરવા ગિરનારમાં વર્ષોથી યોજાતી પરિક્રમાની શરૂઆતને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દૂરથી પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓને પરિવહનની સરળ સુવિધા મળી રહે તથા શ્રદ્ધાળુઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. શ્રદ્ધાળુઓના ટ્રાફિક અને પડતી મુશ્કેલી ને કેન્દ્રમાં રાખીને રાજકોટ એસટી વિભાગ વધારાની 50 જેટલી મોટી બસ રાજકોટથી સીધી જૂનાગઢ સુધી દોડાવાશે. 5 દિવસ સુધી એક્સ્ટ્રા બસ રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડાવાશે. વધારાની આ 5 બસો સુધી રાત્રિ- દિવસ માટે પણ કાર્યરત રહેશે.
રાજકોટ ST વિભાગે ટ્રાફિકની વ્યવસ્થાને પહોંચી વળવા કર્યો નિર્ણયનો નિર્ણય
સ્વાભાવિક છે કે ગિરનાર પરિક્રમાનું આગવું મહત્વ આખાં ગુજરાતમાં છે અને દર વર્ષે દુર દુર થી લોકો લીલી પરિક્રમા નો લહાવો માણવા માટે જૂનાગઢ આવતા હોય છે. આ વર્ષે લીલી પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ દુર દુર થી આવતા શ્રધ્ધાળુઓને લીલી પરિક્રમામાં આવવા માટે પરિવહનની સુવિધામાં કોઈ તકલીફ ન પડે અને સાથે સાથે ટ્રાફિક ને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગે મહત્વ નો નિર્ણય કર્યો છે. આ નિર્ણય થી હવે દૂર થી આવતા શ્રધ્ધાળુઓ આરામથી લીલી પરિક્રમા નો લહાવો લઈ શકશે.
અમદાવાદ અને કચ્છ થી આવનારા યાત્રાળુઓ માટે પણ પરિવહનની ખાસ સુવિધા
લીલી પરિક્રમામાં મોટાં નગરોમાંથી પણ લોકો આવતા હોવાથી તેઓને કેન્દ્રમાં રાખીને એસટી વિભાગ આ વર્ષે રાજકોટ થી જૂનાગઢ સુધીની ઇલેક્ટ્રિક એસી બસની સુવિધા પણ પણ પૂરી પાડી રહ્યું છે. જેના કારણે દૂર થી આવતા લોકોને મુસાફરીમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને સરળતા થી લીલી પરિક્રમા સુધી પહોંચી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech