ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ ડેપો દ્રારા સંચાલીત એકસપ્રેસ બસ રૂટ રાજકોટ–દીવ વાયા કોડીનાર છેલ્લા ઘણા સમયથી આ બસ અનિયમિત હોવાથી વાહન વ્યવહાર મંત્રી, એસટી નિગમ એસટી ડીવીઝન રાજકોટ, એસટી ડેપો રાજકોટ અને કોડીનારના ધારાસભ્યને રજૂઆત કરેલ છે. મુસાફરના જણાવ્યા મુજબ રાજકોટ દીવ બસનો રાજકોટથી ઉપડવાનો સમય બપોરે ૧૧–૪૫નો છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી આ બસ ૧૨–૩૦થી ૧૨–૪૫ વાગ્યે ઉપડે છે. જેના કારણે મુસાફર જનતાને ભારે પરેશાનીનો સામનો કરે છે. આ બસની અવારનવર ફરિયાદ કરવા છતાં કોઇ ઉકેલ નથી અને મુસાફરો વધુને વધુ હેરાન થાય છે. આનું કારણ જાણવા મળ્યું કે રાજકોટ એસટી પાસે વાહન ન હોવાને કારણે આ એક જ બસ રાજકોટથી દીવ અને દીવથી રાજકોટ વચ્ચે ચાલે છે. જયારે આ બસ રાજકોટ ૧૧થી ૧૧–૩૦ વાગ્યે પહોંચે પછી વર્કશોપમાં સાફ સફાઇ માટે જાય છે. એકાદ કલાક જેવો સમય વર્કશોપમાં થતો હોવાથી આ બસ સમયસર ઉપડતી નથી તો એસટી તત્રં આ દીવ રાજકોટ રૂટ ઉપર સામસામી બે બસ મૂકે અને રાજકોટ જૂનાગઢ વચ્ચેનો સ્ટોપ કરે તો જ રેગ્યુલર થાય. વેરાવળ પાસે ડાઇવર્ઝનના કારણે અડધીથી પોણી કલાક વધુ લાગે છે. રાજકોટ ડેપોથી આ બસનું સંચાલન થતું ન હોય તો રાજકોટ ડિવિઝન અગાઉની જેમ આ રૂટને વાંકાનેર દીવ ફરી ચાલુ કરે તો જ આ બસ રેગ્યુલર થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech