ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યપ્રવાહના અખબારોમાં કથિત બદનક્ષીભરી જાહેરાતો જારી કરવા બદલ કર્ણાટક ભાજપ દ્રારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસના સંબંધમાં કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધી આજે બેંગલુની વિશેષ અદાલતમાં હાજર થશે.
જાહેરાતમાં રાજયની તત્કાલિન ભાજપ સરકાર પર તેના ૨૦૧૯–૨૦૨૩ના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટ્રાચાર આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગઈકાલે, રાય કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્ર્રીય નેતા રાહત્પલ ગાંધી સિટી સિવિલ કોર્ટમાં (સુનાવણી) હાજરી આપશે.આ કેસમાં કોંગ્રેસના નેતા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ આરોપી છે. જો કે કોર્ટે બંનેના જામીન મંજૂર કર્યા છે. આજે તેમની હાજરી દરમિયાન રાહત્પલ ગાંધી વ્યકિતગત દેખાવમાંથી મુકિતની માંગ કરશે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે આ રાજકીય રીતે પ્રેરિત મામલો છે.
રાહત્પલ ગાંધીની હાજરી દરમિયાન કોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે કોંગ્રેસે કાર્યકર્તાઓને કોર્ટની નજીક એકઠા ન થવાની અપીલ કરી છે. ૧ જૂનના રોજ, બેંગલુ કોર્ટે સિદ્ધારમૈયા અને શિવકુમારને જામીન મંજૂર કર્યા યારે તેઓ કેસ અંગે તેની સમક્ષ હાજર થયા. ન્યાયાધીશ કેએન શિવકુમારે આ આદેશ જારી કર્યેા હતો, જેમાં ૭ જૂને રાહત્પલ ગાંધીની વ્યકિતગત હાજરી નક્કી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech