ભારતીય જનતા પાર્ટીએ તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભગવા પાર્ટીને ફેબ્રુઆરીના અંત સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેવી શક્યતા છે. હાલ સત્તાધારી પક્ષ બુથ, જિલ્લા અને વિભાગીય પ્રમુખોની ચૂંટણીમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરવામાં આવશે. અડધાથી વધુ રાજ્યોના પ્રમુખો બદલવામાં આવે તેવી શક્યતા છે. ત્યારબાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવશે. આ રેસમાં ઘણા નામો ચાલી રહ્યા છે. જો કે, પક્ષના સૂત્રોનું કહેવું છે કે તમામ અટકળો નિષ્ફળ જશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ્ની જંગી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ જોતાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં આરએસએસની દખલગીરી વધે તેવી શક્યતા છે. ચચર્િ છે કે જેપી નડ્ડાના વિવાદાસ્પદ નિવેદન બાદ આરએસએસ અને બીજેપી વચ્ચે ખળભળાટ મચી ગયો છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીને આનો માર સહન કરવો પડ્યો હતો. પરંતુ હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામો બાદ આરએસએસ અને બીજેપી વચ્ચેના સંબંધો સામાન્ય થવાની ચચર્િ છે.
ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જે નામોની ચચર્િ થઈ રહી છે તેમાં કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપ્ના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેના નામ સામેલ છે. જો કે, પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ નામો પર વિચાર કરવાનું બહુ વહેલું ગણાશે. ભલે અંતિમ નિર્ણય પીએમ મોદી અને અમિત શાહ લેશે, પરંતુ આરએસએસની અવગણના કરવી મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં, સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાને જ આ પદની જવાબદારી મળશે, જે ભવિષ્યમાં બંને સંગઠનો વચ્ચે સુમેળ જાળવી શકે.
ભાજપ કોઈ દલિત નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પર વિચાર કરી શકે છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈને સંસદમાં અમિત શાહના નિવેદન બાદ ભાજપ હાલમાં બેકફૂટ પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગે પણ દલિત સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં ભાજપ દલિત મુદ્દે વિપક્ષના આરોપોનો જવાબ આપી શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, પાર્ટીના મહાસચિવ દુષ્યંત ગૌતમ અને ઉત્તર પ્રદેશના મંત્રી બેબી રાની મૌર્યના નામની પણ ચચર્િ થવા લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
May 20, 2025 11:40 AMદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech