બેંગકોકની મુસાફરી છુપાવવા પાસપોર્ટના પાના ફાડી નાખ્યા: પુણેના આધેડની ધરપકડ

  • April 16, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અધિકારીઓએ એક આધેડ વયના વ્યક્તિની ધરપકડ કરી છે. એવા આરોપો છે કે તેણે ઇરાદાપૂર્વક પોતાના પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યા છે. આનું કારણ તેની બેંગકોક યાત્રા હોવાનું કહેવાય છે. હાલમાં, ઇમિગ્રેશન અધિકારીઓએ આરોપી સામે તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત, તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને પરિવારને જાણ કરવામાં આવી છે.


રિપોર્ટ મુજબ, પુણેમાં રહેતા 51 વર્ષીય એક વ્યક્તિએ પોતાના પરિવારથી બેંગકોકની યાત્રા છુપાવવા માટે પોતાના પાસપોર્ટના પાના ફાડી નાખ્યા હતા. મુંબઈ પોલીસે ઈમિગ્રેશન અધિકારીઓ સાથે છેતરપિંડી કરવાના આરોપમાં એક આધેડ વયના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના પાસપોર્ટના કેટલાક પાના ફાટેલા હતા. એ પછી મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી.


ધ ઈન્ડિયન એક્સપ્રેસે ઈમિગ્રેશન અધિકારી રાજીવ રંજન કુમારને ટાંકીને જણાવ્યું હતું કે સોમવારે જ્યારે મુસાફર કાઉન્ટર પર આવ્યો ત્યારે ઘણી ગેરરીતિઓ જોવા મળી. પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ બતાવતાં જાણવા મળ્યું કે મુસાફર ઇન્ડોનેશિયાથી વિયેતનામ થઈને પાછો ફર્યો હતો. કુમારે પોતે 51 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


જ્યારે અધિકારીઓએ મુસાફરની વધુ પૂછપરછ કરી ત્યારે તેણે પાસપોર્ટના કેટલાક પાના ફાડી નાખ્યાની કબૂલાત કરી. તેણે જણાવ્યું હતું કે તેણે લગભગ એક વર્ષ પહેલા બેંગકોકની પોતાની યાત્રા તેના પરિવારથી છુપાવવા માટે કેટલાક પાના ફાડી નાખ્યા હતા. આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 318(4) અને પાસપોર્ટ એક્ટની કલમ 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application