પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અમુક કારખાના દ્વારા કેમિકલયુકત હોય તે પ્રકારના લાલ રંગના પાણી છોડવામાં આવી રહ્યા છે તેથી તે અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઉદ્યોગનગરના રેલ્વે ફાટક નજીક પારસનગર સોસાયટીના રહેવાસી તસ્લીમ મન્સુરી દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં જાણ કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે અમારા વિસ્તારમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી અજાણ્યા કારખાનાઓ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે જેમના હિસાબે અમોના બોરમાં પણ પાણી કલરવાળા થઇ ગયા છે તેમજ હાલવા ચાલવા માટે જગ્યા ના રહેતા અમો હાલાકી ભોગવી રહ્યા છીએ. તે ઉપરાંત રસ્તો પણ ખોદી નાખ્યો છે. જેના હિસાબે અમોનેે ઘરે પણ તે કલરવાળા પાણીમાંથી જઇને જવું પડી રહયુ છે અને અનેક લોકો ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે. તે ઉપરાંત આજુબાજુના લોકો હાલના સમયમાં અજાણ્યા વ્યક્તિઓના હિસાબે પાણીજન્ય રોગનો ભોગ બની રહ્યા છે.
આ વિસ્તારમાં લાલ રંગના કલરવાળા પાણી કેમિકલયુકત હોવાની પૂરેપૂરી શકયતા છે તેથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તેના સેમ્પલ લેવા જોઇએ અને કયા કારખાનામાંથી પાણી વહાવવામાં આવે છે તે અંગે તટસ્થતાથી તપાસ હાથ ધરીને કોઇની શેહશરમ રાખ્યા વગર કારખાનેદારો સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.તેવી માંગણી તસ્લીમ મન્શુરીએ કરી છે અને તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઇ અને લોકઉપયોગી કાર્યવાહી કરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech