જ્યારથી ફરહાન અખ્તરે ‘ડોન 3’ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. જ્યાં એક તરફ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે રણવીર સિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ફિલ્મમાં કઈ અભિનેત્રી જોવા મળશે? પ્રિયંકા ચોપરાનું સ્થાન કોણ લેશે? હવે બોલિવૂડ હંગામાના એક રિપોર્ટ અનુસાર આ સવાલોના જવાબ મળી ગયા છે.રણવીરની ‘ડોન 3’માંથી પ્રિયંકા નીકળી ગયા બાદ તેનું સ્થાન કીયારા લેશે
કિયારા પણ આ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત
રિપોર્ટમાં ‘ડોન 3’ માટે કિયારા અડવાણીના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ફરહાનને લાગે છે કે કિયારા આ માટે ફિટ છે. કિયારા પણ આ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, 19 ફેબ્રુઆરીએ ફરહાનના પ્રોડક્શન હાઉસ ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’એ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોન 3 સાથે જોડાયેલી કેટલીક મોટી જાહેરાત 20 ફેબ્રુઆરીએ થવા જઈ રહી છે.
ડોનમાં મુખ્ય અભિનેતા તરીકે રણવીરે શાહરૂખને રિપ્લેસ કર્યો
આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રોડક્શન હાઉસ દ્વારા જે જાહેરાતની વાત કરવામાં આવી રહી છે તે માત્ર કિયારા અડવાણી વિશે જ હોઈ શકે છે. જ્યારે ડોનમાં મુખ્ય અભિનેતા તરીકે રણવીરે શાહરૂખને રિપ્લેસ કર્યો હતો, હવે આ રિપોર્ટ અનુસાર કિયારા પ્રિયંકાને રિપ્લેસ કરી શકે છે.
‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી નો ભાગ રહી કિયારા
પ્રિયંકા ડોનના અગાઉના બંને ભાગમાં જોવા મળી હતી. તેણે મોનાની ભૂમિકા ભજવી હતી. આ પાત્રમાં લોકોએ તેને ખૂબ પસંદ કર્યો. જોકે, કિયારાએ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કબીર સિંહ’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઘણી શાનદાર ફિલ્મો દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તે છેલ્લે જૂન 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી. તે ફિલ્મ કંઈ ખાસ કરી શકી ન હતી અને બોક્સ ઓફિસ પર સરેરાશ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech