પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાત પર મોરેશિયસ પહોંચ્યા છે. મોરેશિયસમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નવીન રામગુલામે એરપોર્ટ પર તેમનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કર્યું. તેમની સાથે નાયબ વડા પ્રધાન, મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા, વિદેશ પ્રધાન, કેબિનેટ સચિવ, ગ્રાન્ડ પોર્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ અને અન્ય ઘણા લોકો હતા. પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે ૩૪ મંત્રીઓ સહીત કુલ 200 મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં સાંસદો, ધારાસભ્યો, રાજદ્વારી પ્રતિનિધિમંડળ અને ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે.
મોદી 20 સામુદાયિક પ્રોજેક્ટ્સ અને વિસ્તાર આરોગ્ય કેન્દ્રોનું ઈ-ઉદઘાટન પણ કરશે, જે લગભગ 7 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ સામુદાયિક પ્રોજેક્ટ્સમાં રમતગમત સંબંધિત માળખાગત સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. એરપોર્ટ પહોંચતા જ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મોરેશિયસના નાયબ વિદેશ પ્રધાન હમ્બીરાજન નરસિંહને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ મુલાકાતથી તેઓ સન્માનિત અનુભવી રહ્યા છે. તેને ખાસ પ્રસંગ ગણાવતા તેમણે કહ્યું કે તમામ 34 મંત્રીઓ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેશે. તેમણે કહ્યું કે પીએમ મોદીનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે.
એક ઇન્ટરવ્યુમાં, નરસિંહને 2015 માં વડાપ્રધાન મોદીની મોરેશિયસ મુલાકાતને યાદ કરી અને કહ્યું કે ભારત ઘણા ક્ષેત્રોમાં તેમના દેશ માટે રોલ મોડેલ છે. તેમણે કહ્યું, મોદી 10 વર્ષથી વધુ સમય પછી મોરેશિયસ આવી રહ્યા છે. તેમની છેલ્લી મુલાકાત 2015માં હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગઈકાલે મોડી રાત્રે બે દિવસની મુલાકાતે મોરેશિયસ જવા રવાના થયા હતા. તેઓ ૧૨ માર્ચે એટલેકે આવતીકાલે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાતનો હેતુ ભારત-મોરિશિયસના સ્થાયી સંબંધોને મજબૂત બનાવવા છે.
મોરેશિયસની મુલાકાત પહેલા સોમવારે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો અને તેજસ્વી અધ્યાય ખોલશે. દરમિયાન, મોરેશિયસના વિદેશ પ્રધાન ધનંજય રામફુલે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન 12 માર્ચે લાઇન ઓફ ક્રેડિટ પર એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. 2016 માં, ભારતે મોરેશિયસને 353 મિલિયન ડોલરનું ખાસ આર્થિક પેકેજ પૂરું પાડ્યું. આમાં મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ, સુપ્રીમ કોર્ટ બિલ્ડીંગ, નવી ઇએનટી હોસ્પિટલ, સોશિયલ હાઉસિંગ પ્રોજેક્ટ અને શાળાના બાળકો માટે ડિજિટલ ટેબલેટનો સમાવેશ થાય છે.
મોરેશિયસ આફ્રિકન ખંડના સૌથી નાના દેશોમાંનો એક છે. અહીંની કુલ ૧૨ લાખ વસ્તીમાંથી લગભગ ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે. આ મુલાકાત પહેલા, પીએમ મોદી એક વાર મોરેશિયસની મુલાકાત લઈ ચૂક્યા છે. પીએમ મોદીએ માર્ચ 2015 માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે મોરેશિયસની મુલાકાત લીધી હતી.
પીએમ મોદી 20 થી વધુ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે આજથી શરૂ થતી આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી 20 થી વધુ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં ક્ષમતા નિર્માણથી લઈને સમુદાય-આધારિત માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ દરમિયાન, પીએમ મોદી તેમના સમકક્ષ નવીનચંદ્ર રામગુલામ સાથે સિવિલ સર્વિસીસ કોલેજ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઇમારતનું બાંધકામ આશરે ૪.૭૫ મિલિયન ડોલરના ખર્ચે પૂર્ણ થયું હતું. આ પ્રોજેક્ટ માટે 2017 માં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech