કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની રચના બાદ ગુજરાત સંગઠન અને સરકારમાં મોટા પાયે ફેરફાર થાય તેવા સંકેતના પગલે શપથવિધીમા દિલ્હી પહોંચેલા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમક્ષ ઉભરો ઠાલવ્યો હતો અને રજૂઆત કરી હતી કે મત્રી મંડળના વિસ્તરણમા મૂળ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાનમાં રાખવામાં આવે તે જરી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને સારા હોદ્દા મળી જતાં હોવાના પરિણામે વર્ષેાથી રાયની અને સંગઠનની સેવામાં રહેલા ધારાસભ્યોને યોગ્ય ન્યાય નહીં મળતો હોવાનું સુર વ્યકત કરવામાં આવ્યો છે દિલ્હીના દરબારમાં પહોંચેલા નેતાઓએ મંત્રી મંડળના વિસ્તરણમાં તેમજ બોર્ડ નિગમની નિમણૂકમાં મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોદા આપવામાં આવે તે જરી છે.
ભાજપના ધારાસભ્યોને ભાજપના નેતાઓ શપથવિધિ માટે દિલ્હીનો ફેરો સફળ થાય તેવો પ્રયાસ તેમણે કર્યેા હતો ગુજરાતમાં વિસ્તરણ થાય તો મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવામાં આવે તેવી ભલામણ પણ કરી હતી સમૂહમાં એવી રજૂઆત કરી હતી કોંગ્રેસના નેતાઓને મહત્વ આપવામાં આવે છે ટિકિટ પણ અપાય છે અને મંત્રી પદ પણ અપાય છે આવી સ્થિતિમાં મૂળ ભાજપના નેતાઓની અવગણના થતી હોવાનું અનુભવાય છે. આથી જો વિસ્તરણ કરવામાં આવે તો મૂળ ભાજપ નેતાઓને પણ મહત્વ અપાય તેવી રજૂઆત કરાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech