અમેરિકાના ૪૭મા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજો મોટો નિર્ણય લઈ શકે છે. એવું કહેવાય છે કે તેઓ દેશમાં આવકવેરો નાબૂદ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યો નથી. ટ્રમ્પ કહે છે કે આવકવેરો નાબૂદ કરીને ટેરિફને પ્રોત્સાહન આપી શકાય છે, જેથી આપણે આપણા નાગરિકોને બદલે અન્ય દેશોમાંથી આવક મેળવી શકીએ.
ગઈકાલે, ટ્રમ્પે અમેરિકન નાગરિકોની ડિસ્પોઝેબલ આવક વધારવા માટે આવકવેરો નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂકયો. ડિસ્પોઝેબલ આવક એટલે કર અને અન્ય સામાજિક સુરક્ષા ખર્ચ ચૂકવ્યા પછી બચેલી આવક. અમેરિકી રાષ્ટ્ર્રપતિ કહે છે કે આ પગલાથી આપણે તે સિસ્ટમ પાછી લાવીશું જેના કારણે 'અમેરિકા ધનવાન બન્યું.' તેમણે ફરી એકવાર આવકવેરાને નાબૂદ કરવા માટે આયાત જકાતની જરિયાતનો પુનરોચ્ચાર કર્યેા છે.
તેમણે કહ્યું કે અમેરિકાને એવી વ્યવસ્થામાં પાછા ફરવાનો સમય આવી ગયો છે જેણે આપણને પહેલા કરતા વધુ સમૃદ્ધ અને શકિતશાળી બનાવ્યા. વિદેશી રાષ્ટ્ર્રોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પર કર લાદવાને બદલે, આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી રાષ્ટ્ર્રો પર કર લાદવો જોઈએ. તેમણે કહ્યું કે ૧૮૭૦ થી ૧૯૧૩ દરમિયાન અમેરિકાના ઇતિહાસમાં આ દેશ સૌથી ધનિક હતો. તે સમયે ટેરિફ આધારિત અર્થતત્રં કાર્યરત હતું.
ટ્રમ્પ ટેકસ ઘટાડાની હિમાયત કરી રહ્યા છે. આ સાથે આયાત ડુટી દ્રારા મહેસૂલમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાની વાત પણ ચાલી રહી છે. તેમણે ૨૦ જાન્યુઆરીએ કહ્યું હતું કે વિદેશી રાષ્ટ્ર્રોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પર કર લાદવાને બદલે, આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી રાષ્ટ્ર્રો પર કર અને ટેરિફ લાદીશું. આ કારણે અમે બધી ફી અને આવક એકત્રિત કરવા માટે બાહ્ય મહેસૂલ સેવાની સ્થાપના કરી રહ્યા છીએ. જોકે, કેટલાક અર્થશાક્રીઓએ ટ્રમ્પની ટેરિફ અને ટેકસ અંગેની યોજનાઓ પર ચિંતા પણ વ્યકત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech