પટનાના ગાંધી મેદાનમાં ઉપવાસ કરી રહેલા પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા છે. પટના પોલીસે પ્રશાંત કિશોર વિરુદ્ધ FIR નોંધી છે. જન સૂરજ પાર્ટીના પ્રશાંત કિશોર તેમના લગભગ 150 કાર્યકર્તાઓ સાથે પટનાના ગાંધી મેદાન ખાતે ગાંધી પ્રતિમા પાસે 5 મુદ્દાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે. પ્રશાંત કિશોર ઉપવાસ પર અડગ છે.
પીકે મંજૂરી વગર ગાંધી મેદાનમાં કરી રહ્યા છે ઉપવાસ
મળતી માહિતી પ્રમાણે પટના હાઈકોર્ટના આદેશ અનુસાર વિરોધ પ્રદર્શન માટે ગર્દનીબાગમાં એક જગ્યા નક્કી કરવામાં આવી છે. છેલ્લા 7 વર્ષોથી તમામ રાજકીય પક્ષો તેમની માંગણીઓ સાથે એક જ જાણીતા સ્થળ પર વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે. પરંતુ પ્રશાંત કિશોર પરવાનગી વિના હડતાળ પર બેસી ગયા. ત્યારબાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું અને એફઆઈઆર નોંધી.
પ્રશાસને કહ્યું છે કે પ્રતિબંધિત અને અનધિકૃત જગ્યાએ પરવાનગી વિના પ્રશાંત કિશોરનો વિરોધ ગેરકાયદેસર અને સ્થાપિત પરંપરાની વિરુદ્ધ છે. આ માટે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે અને નોટિસ પાઠવવામાં આવી રહી છે અને વિરોધ કાર્યક્રમને નિર્ધારિત સ્થળ ગર્દનીબાગમાં ખસેડવા જણાવવામાં આવી રહ્યું છે, અન્યથા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech