પ્રધુમન પાર્ક ઝૂ હવેથી મેન્ટેનન્સ માટે દર શુક્રવારને બદલે દર સોમવારે બધં રહેશે. વિક એન્ડમાં શુક્ર, શનિ અને રવિ દરમિયાન મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય તેમજ ત્યારબાદ સોમવારે સફાઈમાં વધુ અનુકૂળતા રહે તેવા હેતુથી મેન્ટેનન્સ ઓફમાં ફેરફાર કરવા નિર્ણય કરાયો છે. વિશેષમાં મહાપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉધાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્ર્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. હાલ રાજકોટ પ્રાણીઉધાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૦ વન્યપ્રાણી–પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી–૫ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. હાલ ઝૂ દર શુક્રવારનાં રોજ જુદા જુદા મેઇન્ટેનન્સની કામગીરી માટે ઝૂ મુલાકાતીઓ માટે બધં રાખવામાં આવે છે. પરંતુ રવિવારનાં દિવસે મહત્તમ મુલાકાતીઓ ઝૂ ખાતે પધારતા હોય, સોમવારના દિવસે સમગ્ર ઝૂ પરીસરમાં સાફ સફાઇની કામગીરી, વન્યપ્રાણી–પક્ષીઓનાં પાંજરાઓમાં સામાન્ય મરામતની કામગીરી, મુલાકાતીઓ માટે પીવાનાં પાણીનાં પરબની સફાઇ વિગેરે જેવી જુદી જુદી મેઇન્ટેનન્સની કામગીરી કરવાની થતી હોય છે. આ ઉપરાંત રવીવારના દિવસે મહત્તમ મુલાકાતીઓ પધારતા હોવાથી સોમવારનાં દિવસે મુલાકાતીઓની સંખ્યા ખુબ જ ઓછી નોંધાય છે. ઉપરોકત વિગતે ઝૂ મેઇન્ટેનન્સની કામગીરી તથા વહીવટી સરળતા માટે ચાલુ વર્ષે માર્ચ૨૦૨૪થી ઝૂ દર સોમવારના રોજ મુલાકાતીઓ માટે બધં રાખવા તથા દર શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નિર્ણય કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech