દેશમાં છૂટક ફુગાવો છેલ્લા બે મહિનાથી ચાર ટકાથી નીચે છે, પરંતુ મુખ્ય ખોરાક તરીકે તમારી થાળીમાં સમાવિષ્ટ મુખ્ય શાકભાજીના ભાવ આસમાને છે. છેલ્લા બે વર્ષમાં બટાટા, ડુંગળી અને ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. મસુર દાળ ઉપરાંત અન્ય દાળના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે. મસાલાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આરબીઆઈએ તેની માસિક સમીક્ષામાં સ્વીકાર્યું છે કે, છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય શાકભાજીના ભાવ લગભગ બમણા કે તેથી વધુ વધ્યા છે. રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2022થી સપ્ટેમ્બર 2024 વચ્ચે કિંમતોમાં ઝડપથી વધારો થયો છે. ઉદાહરણ તરીકે, સપ્ટેમ્બર 2022માં ટામેટાંની સરેરાશ કિંમત 20 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી હતી પરંતુ હવે તે 50 રૂપિયાની નજીક છે. એ જ રીતે દેશના ઘણા ભાગોમાં ડુંગળીની સરેરાશ કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બટાકાની કિંમત પણ 60 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે.
છેલ્લા કેટલાક મહિનામાં મસાલા અને ખાદ્યતેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. જીરું રૂ.27 હજાર પ્રતિ ક્વિન્ટલના સ્તરે પહોંચી ગયું છે, જે રૂ.29 હજાર પ્રતિ ક્વિન્ટલ થવાનો અંદાજ છે. આ આંકડો રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ કરતા અલગ છે.
બીજી તરફ, સરસવ, સોયાબીન અને રિફાઇન્ડ સહિતના અન્ય ખાદ્યતેલોના ભાવમાં તહેવાર પહેલા પ્રતિ લિટર રૂ. 15 થી 20નો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તુવેર દાળના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. તેની કિંમત વધીને 50 થી 60 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. તેમજ અડદની દાળ લગભગ 10 રૂપિયા અને મગની દાળ 8 થી 10 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે.
જેએનયુના નિવૃત્ત પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે, દેશમાં સપ્લાય સિસ્ટમ એટલી સારી નથી જેટલી કોઈ વિકસિત દેશમાં છે. જો સરકાર સ્ટોરેજ અને સપ્લાયને વધુ સારી રીતે મેનેજ કરે તો ભાવમાં વધારો થતો અટકાવી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech